________________
૧૪૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ઉપકરણ છે; શૌચનું ઉપકરણ કાયવિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે; સંયમનું ઉપકરણહેતુ પીંછી છે. આ ઉપકરણોને લેતી-મૂકતી વખતે ઉદ્ભવતી પ્રયત્નપરિણામરૂપ વિશુદ્ધિ તે જ આદાનનિક્ષેપણસમિતિ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.
(હવે ૬૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:) (મતિની)
समितिषु समितीयं राजते सोत्तमानां परमजिनमुनीनां संहतौ क्षांतिमैत्री । त्वमपि कुरु मन: पंकेरुहे भव्य नित्यं भवसि हि परमश्रीकामिनीकांतकांतः ॥८७॥
(શ્લોકાર્થ:-) ઉત્તમ પરમજિનમુનિઓની આ સમિતિ સમિતિઓમાં શોભે છે. તેના સંગમાં ક્ષાંતિ અને મૈત્રી હોય છે (અર્થાત્ આ સમિતિયુક્ત મુનિને ધીરજ-સહનશીલતાક્ષમા અને મૈત્રીભાવ હોય છે). હે ભવ્ય! તું પણ મન-કમળમાં સદા તે સમિતિ ધારણ કર, કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો પ્રિય કાન્ત થઈશ (અર્થાત્ મુક્તિલક્ષ્મીને વરીશ). ૮૭.
ગાથા
-
૬૪ ઉપરનું પ્રવચન
શ્વેતાંબરમાં ‘આયાનભંડમતનિક્ષેપણસમિતિ' એમ આવે છે, જ્યારે અહીંયા
‘આદાનનિક્ષેપણસમિતિ’ છે. (આદાન = લેવું; નિક્ષેપણ = મૂકવું.) કેમ કે સાધુનેમુનિને વસ્ત્ર-પાત્રાદિ હોતાં જ નથી. તો પછી તેઓ વસ્ત્ર-પાત્રાદિને લે કે મૂકે ક્યાંથી? માટે, આ ‘આદાનનિક્ષેપણસમિતિ' શબ્દ યથાર્થ છે. અરે! શ્વેતાંબરમાં આખી સમિતિનો, નામમાં પણ, ફેર છે. અહા! વસ્ત્ર-પાત્ર રાખે અને પોતાને મુનિ માને તો તે મિથ્યાદષ્ટિ છે. આકરું કામ ભાઈ!
અહીંયા મુનિને વસ્ત્ર-પાત્રાદિ સિવાયના મોરપીંછી આદિ ઉપકરણ હોય તેની વાત છે. તેથી જુઓ પાઠમાં છે ને? કે ‘પોત્થમંડતારૂં દળવિસñસુ - શાસ્રાદિ ગ્રહતાંમૂકતાં.’ પાઠમાં ‘ઊત્થફ શબ્દ છે, તેનો અર્થ હરિગીતમાં ‘શાસ્ત્ર’ કર્યો છે અને તેને