________________
છેગાથા - ૬૪ છે.
पोत्थइकमंडलाइं गहणविसग्गेसु पयतपरिणामो । आदावणणिक्खेवणसमिदी होदि त्ति णिहिट्ठा ॥६४॥ पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः प्रयत्नपरिणामः । आदाननिक्षेपणसमितिर्भवतीति निर्दिष्टा ॥ ४॥
શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં મુનિના પ્રયત પરિણામને આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
અન્વયાર્થ:- (પુસ્તમીઠુતાતિપ્રવિયો:) પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી (પ્રયત્નપરિણામ:) પ્રયત્નપરિણામ તે (માનનિક્ષેપણસમિતિ ) આદાનનિક્ષેપણસમિતિ (મતિ) છે (તિ નિર્વિ) એમ કહ્યું છે.
ટીકા:- અહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
આ, અપહૃતસંયમીઓને સંયમજ્ઞાનાદિકના ઉપકરણો લેતી-મૂકતી વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કહ્યો છે. ઉપેક્ષાસંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતાં નથી; તે પરમજિનમુનિઓ એકાંતે (-સર્વથા) નિસ્પૃહ હોય છે તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અત્યંતર ઉપકરણભૂત, નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિસ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી. અપહૃતસંયમધરોને પરમાગમના અર્થનું ફરીફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ૧. અપહૃતસંયમી = અપહૃતસંયમવાળા યુનિ. [અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ
(હીણો-ઓછપવાળો સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગ-એ બધાં એકાર્ય છે.] ૨. ઉપેક્ષાસંયમી = ઉપેક્ષાસંયમવાળા મુનિ. (ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, ઉપેક્ષાસંયમ,
વીતરાગચારિત્ર અને શુદ્ધોપયોગ-એ બધાં એકાર્ય છે.)