________________
૧૩૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
લીનતા જામી છે એવા મુનિ... ભલે (તેમને છઠે ગુણસ્થાને) વિકલ્પ હોય છે, છતાં પણ તે વખતે શુદ્ધ પરિણતિ અંદર જામેલી હોય છે. તો એવા તે મુનિ... દેદીપ્યમાન મુક્તિ વારાંગનાને પ્રાપ્ત કરે છે. જુઓ, પહેલાં ‘પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળો આત્મા’ -એમ કહ્યું હતું ને? (એ દ્રવ્યની વાત કરી.) હવે, મુનિ પોતાની પર્યાયમાં દેદીપ્યમાન મુક્તિને પ્રાપ્ત કરે છે એમ કહે છે. (એ પર્યાયની વાત કરી.) અહો! સંતોના માર્ગ તો જુઓ! અરે! અજ્ઞાનીને સંતપણું તો પ્રગટ્યું નહીં, પરંતુ સંતપણું કેવું હોય તે પણ જાણ્યું નહીં.
અહા! કહ્યું કે આનંદદશાની પૂર્ણ પ્રાપ્તિ તે મુક્તિ છે. અને આવી તેની પરિણતિરૂપી સ્ત્રી છે તેને મુનિ પ્રાપ્ત કરે છે. હવે, જેમ બહારની સ્ત્રી તેના પતિને છોડે નહીં તેમ, તે પૂર્ણાનંદની પ્રાસિરૂપ પરિણતિ પણ દ્રવ્યને છોડશે નહીં.
- એ ૮૬ મો કલશ થયો. હવે ગાથા ૬૪. આદાનનિક્ષેપણસમિતિની વાત.
ગાથા – ૬૩ શ્લોક - ૮૬U
પ્રવચન નં. INST / પ૮
પ૯
તારીખ ૨૯-૬-૭ર ૩૦-૬-૭ર