________________
૧૩૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શાંત...શાંત...કહેતા (મુનિને) અંદરમાં પણ અકષાય પરિણમન છે અને બહારમાંવાણીમાં તેમ જ શરીરમાં – પણ શાંતપણું દેખાય છે, ઠરી ગયેલા દેખાય છે. અહો! તેઓ તો ઉપશમરસમાં – અકષાયરસમાં જામી ગયા છે. તેમને મુનિ કહીએ કે જેમને ગણધરનો નમસ્કાર પહોંચે. જુઓ, ગણધર પણ શાસ્ત્ર રચતી વખતે નમસ્કારમંત્રમાં આમ કહે છે કે ગમો તો સવ્વસાહૂળ | હે સંત! તારા ચરણમાં મારો નમસ્કાર. જો કે ગણધરથી બીજા સાધુ નાના છે એટલે ગણધર તેમને બહારમાં વ્યવહારે નમસ્કાર ન કરે. પરંતુ તેઓ નમસ્કારમંત્રની રચના કરે છે તેમાં સાધુને નમસ્કાર આવી જાય છે. તો, જેને ચાર જ્ઞાન પ્રગટ્યા છે, બાર અંગની રચના જેમણે અંતર્મુહૂતમાં કરી છે તેવી જેની તાકાત છે તથા જે તીર્થંકરના વજીર-દીવાન છે એવા ગણધરનો નમસ્કાર જેને પહોંચે કે ખમો તો સવ્વસાહૂM I હે સંત! તારા ચરણમાં મારો નમસ્કાર હો, તે સાધુપદ કેવું હોય? અહીં કહ્યું છે તેવું. અહા ! તીર્થકર ધર્મરાજા છે અને ગણધર તેમના દીવાન-વજીર છે. છતાં તેઓ જ્યારે શાસ્ત્રની રચના કરે છે ત્યારે બુમો તો સવ્વ ગારિયાળ - એમ કહે છે. તો, એ આચાર્ય કેવા હશે કે જેમને ગણધરનો નમસ્કાર પહોંચે છે, ગણધર નમસ્કાર કરે છે. તેઓ આવા છે – કે જેમનું અનાહારી પરિણમન છે, જેમની વીતરાગી દશા છે અને જેમને આહાર લેવાના રાગનો કણ ઉભો થાય છે તો નિર્દોષ આહાર લેવાની વૃત્તિ છે. એવા અંતરમાં રમણતાવાળા (સાધુ કે આચાર્ય) બહારથી અને અંદરથી શાંત થયા છે.
‘જેને સમાધિ પરિણમી છે.' સમાધિ એટલે આ બાવા સમાધિ ચડાવે છે?
ના, તે નહીં. એ બધા હઠવાળા અજ્ઞાનીઓ છે. આધિ, વ્યાધિ ને ઉપાધિ રહિત આનંદની રમણતામાં શાંતરસથી જામી જવું – અનાકુળ આનંદની સમાધિ જામી જાય–તેને સમાધિ કહીએ. આધિ = મનના પુણ્ય-પાપરૂપ વિકલ્પો, વ્યાધિ = શરીરનો રોગ, ઉપાધિ = સંયોગ. એ ત્રણેથી રહિત પરિણતિનું નામ સમાધિ છે. તો, કહે છે કે, સહજાત્મસ્વરૂપ પરમાનંદની મૂર્તિ એવા આત્માને – પણ સર્વશે કહ્યો તેવો આત્મા હો -અનુભવમાં લઈને મુનિ સમાધિરૂપે પરિણમ્યા છે.
સામાયિકના પાઠમાં આવતા “લોગસ્સસૂત્ર' માં આવે છે કે “સમાવિવરમુત્તમ દિતુ'. ભક્ત પોતાની ભાવના સિદ્ધ ભગવાનને કહે છે કે હે પરમાત્મા! સમાધિના ઉત્તમ વર