SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૩] [૧૨૯ (૨) મુનિ હોય તેને વસ્ત્ર-પાત્ર લેવાની વૃત્તિ જ ન હોય. માટે મુનિને એવો આસવ ન હોય. પણ તેની તેને ખબર નથી. (૩) મુનિને એટલો ઉગ્ર સંવર હોય કે તેમને આહાર-પાણી સિવાય વસ્ત્ર-પાત્ર લેવાની વૃત્તિનો આસ્રવ હોય જ નહીં. –આવી સંવરદશા તેમને હોય છે. પણ તેની તેને ખબર નથી. આમ, અજીવતત્ત્વમાં ભૂલ, આસ્રવતત્ત્વમાં ભૂલ ને સંવરતત્ત્વમાં પણ ભૂલ છે. અને તેથી બધામાં–નવે તત્ત્વમાં તેની ભૂલ છે. આવી જરી ઝીણી વાત છે. નાફ નિમ્ - એમ વિના કારણ કહી દીધું છે એમ નથી. અર્થાત્ “ચીભડાના ચોરને ફાંસીની સજ’ એમ કાંઈ નથી. એ મોટો ગુનેગાર છે. મૂળમાં ભૂલ છે, નવ તત્ત્વની તેને ભૂલ છે. અહા! જેને મુનિપણાની સંવરદશા હોય તેને વસ્ત્ર-પાત્ર લેવાની વૃત્તિ હોઈ શકે જ નહીં અને જેને વસ્ત્ર-પાત્ર લેવાની વૃત્તિ હોય તેને મુનિપણાની સંવરદશા હોઈ શકે જ નહીં. છતાં વસ્ત્ર-પાત્રવાળાને મુનિ માને છે તો તેની એક-એક (દરેક) તત્ત્વમાં ભૂલ છે. આવી વાત છે ભાઈ! શું આ કાંઈ કોઈનો કલ્પલો માર્ગ છે? (ના.) આ તો વીતરાગનો મારગ છે, વસ્તુસ્વરૂપ આવું છે. દિગંબર સાધુ પાત્ર રાખે દિગંબર સાધુ પાત્ર રાખે જ નહીં. તેઓ પાણીનું કમંડળ રાખે છે. છતાં પણ તે પાણી પીવા માટે નથી. પીવા માટે તે પાણી હોઈ શકે જ નહીં. એ શૌચ માટે છે અને તે પણ અપવાદિક ઉપકરણ છે. –આમ ‘પ્રવચનસારમાં (ગાથા ર૨૫માં) છે ને? અરે! ગુરુની વાણી સાંભળે તે પણ અપવાદિક ઉપકરણ છે. વાણી સાંભળવી તે પણ અપવાદિક ઉપકરણ? હા, કેમ કે વાણી પરવસ્તુ છે ને? તેમ જ સાંભળવું તે પણ વિકલ્પ છે. જ્યારે ઉત્સર્ગમાર્ગમાં તે વિકલ્પ પણ નથી અને તેની ઉત્સર્ગ માર્ગની) અહીંયા વાત કરે છે. આકરી વાત છે બાપા! વીતરાગ માર્ગ આવો છે. અહા! ભગવાન આત્મા એવો છે કે ઈચ્છા-આસ્રવતત્ત્વ ને અશન-અજીવતત્ત્વ વિનાનો છે. તેના ગુણોની પરિણતિ તે (મુનિની) ભૂમિકાને યોગ્ય–જોઈએ તેટલી –
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy