SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ ભાવને આ રીતે જાણે અર્થાત્ આ રીતે વસ્તુનું સ્વરૂપ છે તેમ જાણે તો બધી વાત તેના ખ્યાલમાં આવી જાય. કેમ કે મ્ નાનદિ સર્વમ્ નાહ ! (હો માવસ્તર્વતો યેન વૃદ્ધઃ સર્વે માવાસ્તત્ત્વતસ્તન વૃદ્ધઃ | પ્રવચનસાર ગા. ૪૯). એક ભાવને જાણે તો બધા ભાવને જાણે એમ જયસેનાચાર્યની ટીકામાં ભાઈ! આવે છે ને? દ્રવ્યનો કે ગુણનો કે પર્યાયનો - કોઈપણ એક ભાવ જેવો છે તેવો બરાબર જાણે તો તેને બધા ભાવોનું શું સ્વરૂપ છે તે ખ્યાલમાં આવી જાય. અહા! બીજાઓએ (અજ્ઞાનીઓએ) પણ મુનિપણું કેવું છે તે શ્રદ્ધામાં લેવું જોઈએ ને? તો, કેવું મુનિપણું શ્રદ્ધામાં લેવું જોઈએ? કે અહીં કહે છે તેવુંબીજી રીતે કહીએ તો, નવ તત્ત્વની શ્રદ્ધામાં સંવર-નિર્જરાની શ્રદ્ધા પણ આવે છે ને? (હા.) તો, ઘણા (-ઉત્કૃષ્ટ) સંવર-નિર્જરાના ધરનારા મુનિ છે. માટે, કહે છે કે, નવ તત્ત્વની શ્રદ્ધા કરવી હોય તો મુનિ કેવા છે (તે તેણે જાણવું જોઈએ.) અને તેઓ અહીં કહ્યા છે એવા હોય તો સાચા મુનિ છે. સમકિતી તેમને શ્રદ્ધે છે, પણ તેઓ ગોટાળાવાળા હોય તો શ્રદ્ધ નહીં. સમકિતીને નવ તત્ત્વની શ્રદ્ધા તો યથાર્થ જોઈએ ને? તો, જે સંવર-નિર્જરા તત્ત્વવાળા મુનિ છે તે આવા હોય એટલે કે તેમને અશન અને અશનની ઈચ્છા વિનાના તત્વના અનુભવમાં સ્થિરતા હોય અને તે યથાર્થ મુનિપણું છે એમ સમકિતી શ્રદ્ધા કરે છે. લ્યો, સમકિતીને નવ તત્ત્વની શ્રદ્ધામાં આવા સંવર-નિર્જરાની અર્થાત્ આવા મુનિપણાની શ્રદ્ધા હોય છે. પણ આનાથી (-સાચા મુનિપણાથી) જો કોઈ વિરૂદ્ધ હોય તો તે મુનિ નથી અને તેથી તેની સમકિતીને શ્રદ્ધા હોતી નથી. આવો મારગ છે. શાસ્ત્ર તો એમ કહે છે કે જેને વસ્ત્રનો એક ધાગો પણ લેવાની વૃત્તિ છે અને જે વસ્ત્ર રાખે છે તેને જે મુનિ માને છે; મુનિ છે એમ મનાવે છે અને તે માન્યતાને રૂડી જાણે છે તે બધાય નિગોદમાં જશે. “અષ્ટપાહુડમાં સૂત્રપાહુડ (ગાથા ૧૮)આમ કહે છે. આ શ્રી કુંદકુંદદેવનું વચન છે. એક માત્ર ધાગો રાખવાની વૃત્તિ હોય તેને મુનિ માને તો નિગોદમાં જશે? હા, નિગોદમાં જશે. કેમ કે તે (માન્યતાવાળો) મિથ્યાદષ્ટિ છે. તેને નવે તત્ત્વની ભૂલ છે. (૧) મુનિને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોય જ નહીં. માટે મુનિને કેટલો અજીવનો સંયોગ હોય તેની તેને ખબર નથી.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy