________________
ગાથા – ૬૨]
[૧૧૫
અહીં કહે છે કે અનંત ગુણોના પીંડ પૂર્ણાનંદ પ્રભુ આત્માના અનુષ્ઠાનમાંઆચરણમાં મુનિ લીન છે. લ્યો, આત્માનું અનુષ્ઠાન હો, પણ વિકલ્પનું અનુષ્ઠાન નહીં. આવા ડાહ્યા પુરુષોને......જુઓ, ડાહ્યા પુરુષો એને કહીએ કે જે પોતાના અનંત ગુણના પીંડમાં –અંદરમાં–રમે છે. રાગમાં રમે તે ડાહ્યા પુરુષો નથી, પણ આતમરામમાંનિજપદમાં રમે તે ડાહ્યા પુરુષો છે. અને તેને અર્થાત્ મુનિજનોને અંતર્જલ્પથી પણ બસ થાઓ. અંતરમાં શુભવિકલ્પનું-વૃત્તિનું ઉત્થાન થાય તેનાથી પણ બસ થાવ. તેનું (-અંતરના વિકલ્પનું) શું કામ છે? તમ્ - અંતરના વિકલ્પથી સંતોને બસ થાવ. અને તો પછી બહિર્શલ્પની વાત જ શી? જ્યાં અંતરનો વિકલ્પ પણ ઉઠતો નથી ત્યાં ભાષા બોલવાની તો વાત જ શી કરવી? –એમ કહે છે. એટલે કે એ તો હોય જ નહીં.
અહા! આનંદઘન આત્માના અનુષ્ઠાનમાં લીન છે તેને અંતર ને બાહ્ય વિકલ્પથી શું પ્રયોજન છે? વિકલ્પથી શું કામ છે? અથતુ તેને વિકલ્પ હોય જ નહીં.
લ્યો, આને મુનિપણું કહીએ, તેને મોક્ષમાર્ગ કહીએ અને તેને અલ્પકાળમાં મોક્ષમાં જનારા કહીએ..
ગાથા - ૬૨] શ્લોક - ૮૫ છે
પ્રવચન નં. NST / ૫૬
૫૭
તારીખ ર૭-૬-૭ર ર૮-૬-૭ર