SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ હું ગાથા - ૬૩ कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च । दिण्णं परेण भत्तं समभुत्ती एसणासमिदी ॥६३॥ कृतकारितानुमोदनरहितं तथा प्रासुकं प्रशस्तं च । दत्तं परेण भक्तं संभुक्तिः एषणासमितिः ॥६३।। અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને -પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩. અન્વયાર્થ:- (પરેજી રૉ) પર વડે દેવામાં આવેલું, (વૃતwારિતાનુમોનાહિત) કૃતકારિત-અનુમોદન રહિત, (તથા પ્રાસુ) પાસુક (પ્રશસ્ત વ) અને *પ્રશસ્ત (મ) ભોજન કરવારૂપ (સમુત્તિ:) જે સમ્યફ આહારગ્રહણ (ાષાસમિતિઃ) તે એષણા સમિતિ ટીકા:- અહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત, કારિત અને અનુમોદના સહિત ગણીને તેમના નવ ભેદો થાય છે; તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ (શાસ્ત્રમાં) કહ્યું છે; અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન)-એમ (શાસ્ત્રમાં કહ્યું છે. +પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદપ્રક્ષાલન, અર્ચન, પ્રણામ, યોગશુદ્ધિ (મન-વચન-કાયાની શુદ્ધિ) અને ભિક્ષાશુદ્ધિ * પ્રશસ્ત = સારું શાસ્ત્રમાં પ્રશંસેલું, જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય એવું. + પ્રતિગ્રહ = “આહારપાણી શુદ્ધ છે, તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ, (-ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો,)* એમ કહીને આહારગ્રહણની વિનતિ કરવી તે; કૃપા કરવા માટે વિનતિ; આદરસન્માન, (આમ પ્રતિગ્રહ કરવામાં આવતાં, જો મુનિ કૃપા કરી ઊભા રહે તો દાતાના સાત ગુણોથી યુક્ત શ્રાવક તેમને પોતાના ઘરમાં લઈ જઈ, ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી, પગ ધોઈને, પૂજન કરે છે અને પ્રણામ કરે છે. પછી મન-વચન-કાયાથી શુદ્ધિપૂર્વક શુદ્ધ ભિક્ષા દે છે.)
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy