________________
ગાથા – ૬૨]
[૧૦૯
અહા! ઉત્પત્રિયધ્રૌવ્યયુ સન્ ! અને દ્રવ્યન્તલમ્ | (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય૫, સૂત્ર ૩૦,ર૯) તો, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાંથી ધ્રુવમાં જે આવા અનંત ગુણ છે તેને ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય સ્વીકારે છે. કેમ કે સ્વીકાર તો પર્યાય કરે છે ને? જ્યારે ધ્રુવ તો છે તે છે. તથા તે ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય પણ સત્ છે અને ધ્રૌવ્ય પણ સત્ છે. ત્રણેય સત્ છે. પરંતુ તેમાંથી સરૂપ ઉત્પાદ પર્યાય ક્યારે ‘યથાર્થ સત્” થઈ કહેવાય? કે જ્યારે ત્રિકાળી અનંત ગુણોના પીંડ પ્રભુ આત્માના ત્રણકાળના સમયથી પણ અનંતગુણા ગુણ છે તે બધાને એક સમયની પર્યાય ગળી ગઈ ત્યારે. એટલે કે આવા આખા તત્ત્વને અંદર પ્રતીતમાં-જ્ઞાનમાં લઈ લીધો ત્યારે પર્યાય યથાર્થ સત્’ થઈ એમ કહેવાય છે. અને આવી નિર્મળ-વીતરાગી પર્યાયનું – કે જે ત્રિકાળી અનંત ગુણોમાં એકાગ્ર થઈ છે તેનું–નામ સમિતિ કહેવામાં આવે છે. હવે આવી વાત અજ્ઞાનીએ સાંભળી પણ ન હોય અને જોઈને ચાલવું તે સમિતિ છે એમ માને છે. પણ ધૂળેય તે સમિતિ નથી. કેમ કે ચાલવાની ક્રિયા તો જડની છે - જડની ઉત્પાદ પર્યાય છે. તે આત્માનો ઉત્પાદ ક્યાં છે? માટે જોઈને ચાલે કોણ સાંભળ ને? (હા), તેને શુભવિકલ્પ આવે કે કોઈને દુઃખ ન થાય એમ ચાલું. પરંતુ તે વિકલ્પ-શુભરાગ પુણ્યબંધનું કારણ છે. તે શુભવિકલ્પરૂપ વ્યવહાર કોને હોય? કે જેને આવી નિશ્ચયસમિતિ પ્રગટી હોય તેને.
એક વાર મોટી સંખ્યાની વાત નીકળતા ત્રણ મોટી સંખ્યા કહી હતી: (૧) એક શરીરમાં ૫,૬૮,૯૯,૫૮૪ રોગ છે. (ભગવતી આરાધના ગા. ૧૦૬૦/૬૧) (૨) આકાશમાં એક સૂર્ય ને એક ચંદ્રની સાથે ૬૬,૯૭૫ ક્રોડાક્રોડી તારા છે. અને (૩) બ્રહ્મદત્ત ચક્રવર્તીને અહીંના એક શ્વાસ જેટલા કાળના ફળમાં સાતમી નરકનું
૧૧,૫૬,૯૭૫ પલ્યોપમનું દુઃખ મળ્યું છે.
બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ૭00 વર્ષનું આયુષ્ય હતું. તેમાં તેણે જે બાહ્યનું-કલ્પનાનું સુખ ભોગવ્યું તેના ફળમાં તેને સાતમી નરકનું ૩૩ સાગરનું આયુષ્ય મળ્યું. તેનો અર્થ એ થયો કે અહીંયા 900 વર્ષમાં જે શ્વાસ થયા તેમાંથી એક શ્વાસ જેટલા કાળના ફળમાં સાતમી નરકનું ૧૧,પ૬,૯૭૫ પલ્યોપમનું દુ:ખ મળ્યું. જ્યારે આત્મામાં ત્રણકાળના સમય કરતાં અનંતગુણા ગુણ છે. તેમ જ તે અનંત ગુણની એક સમયની પર્યાય પણ ત્રણકાળના સમય કરતાં અનંતગુણી છે.
શું કહ્યું છે?
કે એક જીવદ્રવ્યના એક ગુણની વર્તમાનમાં એક પર્યાય હોય ને? હા.) તો, અનંત ગુણની અનંત પર્યાય છે. તે કેટલી પર્યાય છે? કે ત્રણકાળના સમય કરતા તે પર્યાયની