SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦] (માલિની) [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ सर्व सावद्यदूराः शांतसर्वप्रचाराः । “સમધિગતસમસ્તા: स्वहितनिहितचित्ताः स्वपरसफल जल्पा: सर्वसंकल्पमुक्ताः कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः ॥" ‘(શ્લોકાર્થ:-) જેમણે બધું (વસ્તુસ્વરૂપ) જાણી લીધું છે, જેઓ સર્વ સાવધથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ *પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂપ) છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય ? (અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે.)’ વળી (૬૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):(અનુષ્ટમ) परब्रह्मण्यनुष्ठाननिरतानां मनीषिणाम् । अन्तरैरप्यलं जल्पैः बहिर्जल्पैश्च किं पुनः ॥ ८५ ॥ (શ્લોકાર્થ:-) પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં લીન) એવા ડાહ્યા પુરુષોને – મુનિજનોને અંતર્જલ્પથી (-વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ બસ થાઓ, બહિર્જલ્પની (-ભાષા બોલવાની) તો વાત જ શી ? ૮૫. ગાથા ૬૨ ઉપરનું પ્રવચન ‘અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.’ આ બીજી ભાષાસમિતિની વ્યાખ્યા છે. વ્યવહાર ભાષાસમિતિની અર્થાત્ ભાષા બોલવાનો જે વિકલ્પ ઉઠે છે તેની આ વાત છે. વ્યવહાર ભાષાસમિતિ એટલે શુભરાગવિકલ્પ. * પ્રચાર = વહીવટ; કામ માથે લેવું તે. આરંભ; બાહ્ય પ્રવૃત્તિ
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy