________________
૯૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે. રાગનું ફળ કર્મબંધન છે અને કર્મબંધનનું ફળ સંયોગ છે, પણ તેમાં કાંઈ સ્વભાવનું ફળ નથી.
અરે! તારા ઘરની તને ખબર નહીં ને તું પરઘરમાં ભમે છો? – તો તારો ચોરાશી લાખ યોનિમાં અવતાર થશે એમ કહે છે. અહા! એક સમયમાં પૂર્ણ પ્રભુ આત્માને શેય કરીને જ્યાં હજુ તેનું-સ્વનું જ્ઞાન થયું નથી ત્યાં નિશ્ચય સમિતિના ભાવ વિના–તેની પરિણતિ વિના–એકલી વ્યવહાર ઈર્યાસમિતિ આદિ તો, કહે છે કે, સંસાર છે. રાગ (-વ્યવહાર સમિતિ) પોતે સંસાર છે અને તેના ફળમાં પુણ્યબંધ થઈને દેવાદિ ગતિ મળે છે તે પણ સંસાર છે.
- એ ૮૪ મો શ્લોક થયો, જેમાં ઈસમિતિની વાત થઈ. હવે ભાષાસમિતિની વાત કરે છે.
ગાથા – ૬૧ ) શ્લોક - ૮૧ થી ૮૪
પ્રવચન નં. NST / ૫૪
પપ
તારીખ ૨૪-૬-૭ર ૨૫-૬-૭ર ર૭-૬-૭ર