SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૨] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ નથી. એ તો હજુ વ્યવહાર કરશું તો નિશ્ચય થશે એમ માને છે. પણ વ્યવહાર એટલે રાગ. તેથી, રાગ કરશું તો નિશ્ચય (-વીતરાગતા) થશે, આસ્રવ કરશું તો આત્માનો સંવર થશે એમ તે માને છે. પરંતુ એ શ્રદ્ધા જ મિથ્યા છે. આત્મા રાગ સહિત છે અને રાગ કરવાલાયક છે એવી માન્યતા જ મિથ્યાત્વ છે. પ્રશ્ન:- પણ તેના પર) વિના ચાલે નહીં ને? સમાધાન:- અરે! પર વિના જ આત્માને ચાલે છે. (હા), તેના વિના મને ચાલે નહીં એમ તેણે માન્યું છે. તેથી એવી માન્યતા વિના તેણે અનાદિથી ચલાવ્યું નથી. આવો પ્રશ્ન વિક્રમ સંવત ૨૦૧૦ ની સાલમાં બોટાદમાં થયો હતો કે મહારાજ! તમે પૈસાને ધૂળજડ છે એમ કહો છો, પરંતુ તેના વિના કાંઈ ચાલે છે ? ત્યારે કહેલું કે જુઓ ભાઈ! સાંભળો. આ એક આંગળીએ બીજી આંગળી વિના શું ચલાવ્યું નથી? (હા, ચલાવ્યું છે. કેમ કે નહીંતર તો,) આ આંગળી તૂટી જાય તો બીજી આંગળી પણ ન રહે. તેમ આત્માએ પરદ્રવ્યના અભાવથી જ ચલાવ્યું છે. આત્મા સ્વદ્રવ્યથી છે અને પરદ્રવ્યથી નથી. તેથી આત્માનું ટકવું જ પદ્રવ્યના અભાવરૂપે છે. છતાં પણ અજ્ઞાની માને છે કે પરદ્રવ્યના અભાવમાં હું કેમ રહી શકું? પરંતુ એ તો તેની મિથ્યા માન્યતા છે. બીજી રીતે કહીએ તો, ભગવાન આત્મા સ્વદ્રવ્યથી અસ્તિ છે ને પરદ્રવ્યથી નાસ્તિ છે. તેથી પદ્રવ્યના અભાવરૂપે જ ટકી રહ્યો છે. તેનું અસ્તિત્વ આ રીતે જ ટકી રહ્યું છે. છતાં પણ અજ્ઞાનીને એમ થઈ ગયું છે કે મને પૈસા વિના ચાલે નહીં. પરંતુ એ તો તેની મિથ્યા માન્યતાએ ઘર ઘાલ્યું છે. -આ મૂળ ચીજ (વાત) છે અને આ મૂળ ચીજ ઉપર દુનિયાનું લક્ષ જ ગયું નથી. અહા! અજ્ઞાની બહારમાં ને બહારમાં પંડિતાઈની મોટી વાતો કરે છે કે ભગવાને વ્યવહારથી લાભ કહ્યો છે અને (ઢાળામાં પણ) વ્યવહારને નિયતનો હેતુ-કારણ કહ્યો છે. ભાઈ! ભગવાને વ્યવહારની વાતો કહીને વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે. છતાં એ રાગ સહિત આત્મા છે એમ જે માને છે તે રાગથી આત્માને લાભ માને છે. કેમ કે આત્માને રાગ સહિત માને કે આત્માને રાગથી લાભ માને તે બન્ને એક જ વાત થઈ અને તે મિથ્યા વાત છે. હવે, (બુઢાળા, ત્રીજી ઢાળ, પદ-રમાં) હેતુ નિયતકો હોઈ એમ જે કહ્યું છે તે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે એ ભૂમિકામાં એવો મંદરાગ હોય છે. બસ, ‘રાગ હોય છે એટલું જ કહેવું છે. પણ રાગથી આત્મામાં લાભ થાય એમ નથી કહેવું. કેમ કે નહીંતર તો પરસ્પર વિરૂદ્ધ વચન થાય. (પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં) આત્માને રાગ સહિત માનવો
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy