SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૧] [૯૧ અહીં કહે છે કે ભાઈ એ ચોરાશી લાખ યોનિના અવતારનું કારણ મિથ્યાત્વભાવ પ્રશ્ન:- એ મિથ્યાત્વભાવ એટલે શું? સમાધાન:- ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધતા ને આનંદનું ધામ છે. તે તત્ત્વ પુણ્ય-પાપના ભાવરૂપ રાગ અને શરીર, કર્મ આદિ અજીવતત્ત્વથી જુદું છે. અર્થાત્ આસ્રવતત્ત્વથી અને અજીવતત્ત્વથી જ્ઞાયકતત્ત્વ-ચૈતન્યતત્ત્વ ભિન્ન છે, અસમાહિત છેસહિત નથી. છતાં પણ તેને સહિતપણું ભાસે છે એ જ મિથ્યાત્વભાવ છે. અને એવો જીવ–શુદ્ધપરિણતિથી રહિત ઈચ્છાથી પીડિત એવો પ્રાણી–ચાર ગતિમાં અવતાર ધારણ કરે છે. આવી વાતો છે ભગવાન! અરે! (સમયસારના) કર્તાકર્મ અધિકારની ૭ર મી ગાથામાં આત્માને ‘ભગવાન' તરીકે જ બોલાવ્યો છે ને? આચાર્યું તેને એમ કહીને બોલાવ્યો છે કે ભગવાન આત્મા’... કેમ? કેમ કે આત્મા તો અજીવ અને આસવ રહિત જ છે. તેથી તે ભગવાન જ છે. એટલે કે આનંદ અને જ્ઞાનસ્વરૂપી આત્મા છે અને તેને જ ‘ભગવાન આત્મા’ કહીએ. નહીંતર શું પુણ્યના પરિણામને આત્મા કહીએ? (ના.) કેમ કે એ તો આસવ છે. પ્રશ્ન:- પુણ્યથી થોડો તો લાભ થાય ને? સમાધાન:- હા, લાભ થાય રખડવાનો. ‘પ્રવચનસાર’માં તો ભાઈ! એવા શબ્દ છે કે જે કોઈ પુણ્ય-પાપમાં વિશેષતા માને છે તે ઘોર સંસારમાં રખડશે. જુઓ, પ્રવચનસાર, | ૭૭ ગાથા: ‘મથ પુથપાયોવિશેષત્વ નિશ્ચિન્વન્નપસંદતિ હવે પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત કરતા થકા ઉપસંહાર કરે છે.' અવિશેષ કહેતાં બન્ને પુણ્ય અને પાપ સરખા છે, બન્નેમાં સામાન્યપણું છે. ण हि मण्णदि जो एवं णत्थि विसेसो त्ति पुण्णपावाणं । हिंडदि घोरमपारं संसारं मोहसंछण्णो ॥ પુણ્ય ને પાપમાં વિશેષ: નાસ્તિ તફાવત નથી એમ જે માનતો નથી એટલે કે પુણ્ય ને પાપમાં તફાવત છે ફેર છે અર્થાતુ પુણ્ય ઠીક છે એમ જે માને છે તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં હિતિ પરિભ્રમણ કરે છે. લ્યો, આ પ્રવચનસાર–વીતરાગની વાણીનો સાર. અરે! મિથ્યાત્વ શું છે તેની અજ્ઞાનીને ખબર
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy