________________
૩૪૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ जाइजरमरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं । णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ॥१७७॥
जातिजरामरणरहितं परमं कर्माष्टवर्जितं शुद्धम् ।
ज्ञानादिचतुःस्वभावं अक्षयमविनाशमच्छेद्यम् ॥१७७॥ कारणपरमतत्त्वस्वरूपाख्यानमेतत् ।
निसर्गतः संसृतेरभावाज्जातिजरामरणरहितम्, परमपारिणामिकभावेन परमस्वभावत्वात्परमम्, त्रिकालनिरुपाधिस्वरूपत्वात् कर्माष्टकवर्जितम्, द्रव्यभावकर्मरहितत्वाच्छुद्धम्, सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजचिच्छक्तिमयत्वाज्ज्ञानादिचतुःस्वभावम्, सादिसनिधन
પ્રકારના સંસારથી મુક્ત, પાંચ પ્રકારના મોક્ષરૂપી ફળને દેનારા (અર્થાત્ દ્રવ્યપરાવર્તન, ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભવપરાવર્તન ને ભાવપરાવર્તનથી મુક્ત કરનારા), પંચપ્રકાર સિદ્ધોને (અર્થાત્ પાંચ પ્રકારની મુક્તિને—સિદ્ધિને–પ્રાપ્તસિદ્ધભગવંતોને) હું પાંચ પ્રકારના સંસારથી મુક્ત થવા માટે વંદુ છું. ૨૯૫.
કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે,
જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અછેદ્ય છે. ૧૭૭.
અન્વયાર્થ:- (પરમાત્મતત્ત્વ) [જ્ઞાતિગરીમરરહિત||જન્મ જરા મરણ રહિત, [પરમ] પરમ, [વર્માત આઠ કર્મ વિનાનું,[શુદ્ધ]શુદ્ધ, [જ્ઞાનાવવતુ સ્વમાન્]જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું, [અક્ષય] અાય, [વિનાશ] અવિનાશી અને [ગચ્છેદ્ય] અચ્છે ઘ છે.
ટીકા –(જેનો સંપૂર્ણ આશ્રય કરવાથી સિદ્ધ થાય છે એવા) કારણપરમતત્ત્વના સ્વરૂપનું આ કથન છે.
(કારણપરમતત્ત્વ આવું છે –) નિસર્ગથી (સ્વભાવથી) સંસારનો અભાવ હોવાને લીધે જન્મજરામરણ રહિત છે; પરમપરિણામિકભાવ વડે પરમસ્વભાવવાળું હોવાને લીધે પરમ છે; ત્રણે કાળે નિરુપાધિસ્વરૂપવાળું હોવાને લીધે આઠ કર્મ વિનાનું છે; દ્રવ્યકર્મ અને ભાવકર્મ રહિત હોવાને લીધે શુદ્ધ છે; સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર અને સહજચિન્શક્તિમય હોવાને લીધે જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું છે; સાદિસાંત, મૂર્ત ઇન્દ્રિયાત્મક વિજાતીયવિભાવવ્યંજનપર્યાય રહિત હોવાને લીધે અક્ષય છે; પ્રશસ્ત અપ્રશસ્ત