________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अन्यच्च
શુદ્ધોપયોગ અધિકાર
" दंसणपुव्वं गाणं छदमत्थाणं ण दोण्णि उवओग्गा । जुगवं जह्मा केवलिणाहे जुगवं तु ते दोवि ॥”
तथा हि
(મારા)
वर्तेते ज्ञानदृष्टी भगवति सततं धर्मतीर्थाधिनाथे सर्वज्ञेऽस्मिन् समंतात् युगपदसदृशे विश्वलोकैकनाथे । एतावुष्णप्रकाशी पुनरपि जगतां लोचनं जायतेऽस्मिन् तेजोराशौ दिनेशे हतनिखिलतमस्तोमके ते तथैवम् ॥ २७३॥
[ ૩૧૭
છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે.’’
વળી બીજું પણ (શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં ૪૪મી ગાથા દ્વારા) કહ્યš છે કે —
“[ગાથાર્થ :—]છદ્મસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે (અર્થાત્ પહેલાં દર્શન અને પછી જ્ઞાન થાય છે), કા૨ણ કે તેમને બન્ને ઉપયોગો યુગપદ્ હોતા નથી; કેવળીનાથને તે બન્ને યુગપદ્ હોય છે.’’
વળી (આ ૧૬૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે) :—
[શ્લોકાર્થઃ—] જે ધર્મતીર્થના અધિનાથ (નાયક) છે, જે અસદેશ છે (અર્થાત્ જેના સમાન અન્ય કોઈ નથી) અને જે સકળ લોકના એક નાથ છે એવા આ સર્વજ્ઞ ભગવાનમાં નિરંતર સર્વતઃ જ્ઞાન અને દર્શન યુગપણ્ વર્તે છે. જેણે સમસ્ત તિમિરસમૂહનો નાશ કર્યો છે એવા આ તેજરાશિરૂપ સૂર્યમાં જેવી રીતે આ ઉષ્ણતા અને પ્રકાશ (યુગપ ્) વર્તે છે અને વળી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે (અર્થાત્ સૂર્યના નિમિત્તે જીવોનાં નેત્ર દેખવા લાગે છે), તેવી જ રીતે જ્ઞાન અને દર્શન (યુગપત્) હોય છે (અર્થાત્ તેવી જ રીતે સર્વજ્ઞ ભગવાનને જ્ઞાન અને દર્શન એકીસાથે હોય છે અને વળી સર્વશ ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય છે). ૨૭૩.