SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] अन्यच्च શુદ્ધોપયોગ અધિકાર " दंसणपुव्वं गाणं छदमत्थाणं ण दोण्णि उवओग्गा । जुगवं जह्मा केवलिणाहे जुगवं तु ते दोवि ॥” तथा हि (મારા) वर्तेते ज्ञानदृष्टी भगवति सततं धर्मतीर्थाधिनाथे सर्वज्ञेऽस्मिन् समंतात् युगपदसदृशे विश्वलोकैकनाथे । एतावुष्णप्रकाशी पुनरपि जगतां लोचनं जायतेऽस्मिन् तेजोराशौ दिनेशे हतनिखिलतमस्तोमके ते तथैवम् ॥ २७३॥ [ ૩૧૭ છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે.’’ વળી બીજું પણ (શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં ૪૪મી ગાથા દ્વારા) કહ્યš છે કે — “[ગાથાર્થ :—]છદ્મસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે (અર્થાત્ પહેલાં દર્શન અને પછી જ્ઞાન થાય છે), કા૨ણ કે તેમને બન્ને ઉપયોગો યુગપદ્ હોતા નથી; કેવળીનાથને તે બન્ને યુગપદ્ હોય છે.’’ વળી (આ ૧૬૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે) :— [શ્લોકાર્થઃ—] જે ધર્મતીર્થના અધિનાથ (નાયક) છે, જે અસદેશ છે (અર્થાત્ જેના સમાન અન્ય કોઈ નથી) અને જે સકળ લોકના એક નાથ છે એવા આ સર્વજ્ઞ ભગવાનમાં નિરંતર સર્વતઃ જ્ઞાન અને દર્શન યુગપણ્ વર્તે છે. જેણે સમસ્ત તિમિરસમૂહનો નાશ કર્યો છે એવા આ તેજરાશિરૂપ સૂર્યમાં જેવી રીતે આ ઉષ્ણતા અને પ્રકાશ (યુગપ ્) વર્તે છે અને વળી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે (અર્થાત્ સૂર્યના નિમિત્તે જીવોનાં નેત્ર દેખવા લાગે છે), તેવી જ રીતે જ્ઞાન અને દર્શન (યુગપત્) હોય છે (અર્થાત્ તેવી જ રીતે સર્વજ્ઞ ભગવાનને જ્ઞાન અને દર્શન એકીસાથે હોય છે અને વળી સર્વશ ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય છે). ૨૭૩.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy