________________
૩૧૮ ]
નિયમસાર (વસંતતિના)
[ભગવાનશ્રીકુંદકુંદ
सद्बोधपोतमधिरुह्य भवाम्बुराशिमुल्लंघ्य शाश्वतपुरी सहसा त्वयाप्ता । तामेव तेन जिननाथपथाधुनाहं याम्यन्यदस्ति शरणं किमिहोत्तमानाम् ॥२७४॥ (માાંતા)
एको देवः स जयति जिनः केवलज्ञानभानुः कामं कान्तिं वदनकमले संतनोत्येव कांचित् । मुक्तेस्तस्याः समरसमयानंगसौख्यप्रदायाः को नालं शं दिशतुमनिशं प्रेमभूमेः प्रियायाः || २७५॥ (અનુત્તુમ્)
जिनेन्द्रो मुक्तिकामिन्याः मुखपद्मे जगाम सः । अलिलीलां
पुनः काममनङ्गसुखमद्वयम् ।।२७६॥
[શ્લોકાર્થઃ—] (હે જિનનાથ !) સજ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવસાગરને ઓળંગી જઈને, તું ઝડપથી શાશ્વતપુરીએ પહોંચ્યો. હવે હું જિનનાથના તે માર્ગે (-જે માર્ગે જિનનાથ ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીમાં જાઉં છું; (કારણ કે) આ લોકમાં ઉત્તમ પુરુષોને (તે માર્ગ સિવાય) બીજું શું શરણ છે? ૨૭૪.
[શ્લોકાર્થઃ—] કેવળજ્ઞાનભાનુ (–કેવળજ્ઞાનરૂપી પ્રકાશના ધરનારા સૂર્ય) એવા તે એક જિનદેવ જ જયવંત છે. તે જિનદેવ સમરસમય અનંગ (-અશરીરી, અતીંદ્રિય) સૌષ્યની દેનારી એવી તે મુક્તિના મુખકમળ પર ખરેખર કોઈ અવર્ણનીય કાન્તિને ફેલાવે છે; (કારણ કે) કોણ (પોતાની) સ્નેહાળ પ્રિયાને નિરંતર સુખોત્પત્તિનું કારણ થતું નથી? ૨૭૫.
[શ્લોકાર્થઃ—] તે જિનેંદ્રદેવે મુક્તિકામિનીના મુખકમળ પ્રત્યે ભ્રમરલીલાને ધારણ કરી (અર્થાત્ તેઓ તેમાં ભ્રમરની જેમ લીન થયા) અને ખરેખર અદ્વિતીય અનંગ (આત્મિક) સુખને પ્રાપ્ત કર્યું. ૨૭૬.