SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ] નિયમસાર (વસંતતિના) [ભગવાનશ્રીકુંદકુંદ सद्बोधपोतमधिरुह्य भवाम्बुराशिमुल्लंघ्य शाश्वतपुरी सहसा त्वयाप्ता । तामेव तेन जिननाथपथाधुनाहं याम्यन्यदस्ति शरणं किमिहोत्तमानाम् ॥२७४॥ (માાંતા) एको देवः स जयति जिनः केवलज्ञानभानुः कामं कान्तिं वदनकमले संतनोत्येव कांचित् । मुक्तेस्तस्याः समरसमयानंगसौख्यप्रदायाः को नालं शं दिशतुमनिशं प्रेमभूमेः प्रियायाः || २७५॥ (અનુત્તુમ્) जिनेन्द्रो मुक्तिकामिन्याः मुखपद्मे जगाम सः । अलिलीलां पुनः काममनङ्गसुखमद्वयम् ।।२७६॥ [શ્લોકાર્થઃ—] (હે જિનનાથ !) સજ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવસાગરને ઓળંગી જઈને, તું ઝડપથી શાશ્વતપુરીએ પહોંચ્યો. હવે હું જિનનાથના તે માર્ગે (-જે માર્ગે જિનનાથ ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીમાં જાઉં છું; (કારણ કે) આ લોકમાં ઉત્તમ પુરુષોને (તે માર્ગ સિવાય) બીજું શું શરણ છે? ૨૭૪. [શ્લોકાર્થઃ—] કેવળજ્ઞાનભાનુ (–કેવળજ્ઞાનરૂપી પ્રકાશના ધરનારા સૂર્ય) એવા તે એક જિનદેવ જ જયવંત છે. તે જિનદેવ સમરસમય અનંગ (-અશરીરી, અતીંદ્રિય) સૌષ્યની દેનારી એવી તે મુક્તિના મુખકમળ પર ખરેખર કોઈ અવર્ણનીય કાન્તિને ફેલાવે છે; (કારણ કે) કોણ (પોતાની) સ્નેહાળ પ્રિયાને નિરંતર સુખોત્પત્તિનું કારણ થતું નથી? ૨૭૫. [શ્લોકાર્થઃ—] તે જિનેંદ્રદેવે મુક્તિકામિનીના મુખકમળ પ્રત્યે ભ્રમરલીલાને ધારણ કરી (અર્થાત્ તેઓ તેમાં ભ્રમરની જેમ લીન થયા) અને ખરેખર અદ્વિતીય અનંગ (આત્મિક) સુખને પ્રાપ્ત કર્યું. ૨૭૬.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy