________________
[ ૨૮૯
કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચયપરમાવશ્યક અધિકાર
(9 ) जयत्ययमुदारधीः स्ववशयोगिवृन्दारकः प्रनष्टभवकारणः प्रहतपूर्वकर्मावलिः। स्फुटोत्कटविवेकतः स्फुटितशुद्धबोधात्मिकां सदाशिवमयां मुदा व्रजति सर्वथा निर्वृतिम् ॥२४७।।
प्रध्वस्तपंचबाणस्य पंचाचारांचिताकृतेः। अवंचकगुरोर्वाक्यं कारणं मुक्तिसंपदः॥२४८॥
(સનમ) इत्थं बुद्ध्वा जिनेन्द्रस्य मार्ग निर्वाणकारणम् । निर्वाणसंपदं याति यस्तं वंदे पुनः पुनः॥२४९॥
(કુવાંવિત) स्ववशयोगिनिकायविशेषक प्रहतचारुवधूकनकस्पृह। त्वमसि नश्शरणं भवकानने
स्मरकिरातशरक्षतचेतसाम्॥२५०॥ [હવે આ ૧૪૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે
[શ્લોકાર્થ –]ઉદાર જેની બુદ્ધિ છે, ભવનું કારણ જેણે નષ્ટ કર્યું છે, પૂર્વ કર્માવલિ જેણે હણી નાખી છે અને સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા પ્રગટશુદ્ધબોધસ્વરૂપ સદાશિવમય સંપૂર્ણ મુક્તિને જે પ્રમોદથી પામે છે, તે આ સ્વવશ મુનિશ્રેષ્ઠ જયવંત છે. ર૪૭.
[શ્લોકાર્થ –] કામદેવનો જેમણે નાશ કર્યો છે અને જ્ઞાનદર્શનચારિત્રતપ વીર્યાત્મક) પંચાચારથી સુશોભિત જેમની આકૃતિ છે—એવા અવંચક (માયાચાર રહિત) ગુરુનું વાક્ય મુક્તિસંપદાનું કારણ છે. ૨૪૮.
[શ્લોકાર્થ –]નિર્વાણનું કારણ એવો જે જિનેંદ્રનો માર્ગ તેને આ રીતે જાણીને જે નિર્વાણ સંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદું છું. ૨૪૯.
[શ્લોકાર્થ –] જેણે સુંદર સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે એવા હે
૩૭.