________________
૨૦૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ यः श्रीमदर्हन्मुखारविन्दविनिर्गतपरमागमार्थविचारक्षमः अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयोरनादिबन्धनसंबन्धयोर्भेदं भेदाभ्यासबलेन करोति, स परमसंयमी निश्चयव्यवहारप्रत्याख्यानं स्वीकरोतीति।
(સ્વા તા) भाविकालभवभावनिवृत्तः सोहमित्यनुदिनं मुनिनाथः। भावयेदखिलसौख्यनिधानं स्वस्वरूपममलं मलमुक्त्यै ॥१४३॥
(સ્વાગતા) घोरसंसृतिमहार्णवभास्वद्यानपात्रमिदमाह जिनेन्द्रः। तत्त्वतः परमतत्त्वमजस्रं માવિયાગમતો નિતમોદ: 988
શ્રીમદ્ અહંતના મુખારવિંદમાંથી નિકળેલાં પરમાગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળાં અશુદ્ધ અંત:તત્ત્વ અને કર્મ યુગલનો ભેદ ભેદાભ્યાસના બળથી કરે છે, તે પરમ સંયમી નિશ્ચયપ્રત્યાખ્યાન તથા વ્યવહારપ્રત્યાખ્યાનને સ્વીકૃત (-અંગીકૃત) કરે છે.
[હવે આ નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ :-] “જે ભાવિ કાળના ભવભાવોથી (સંસારભાવોથી) નિવૃત્ત છે તે હું છું' એમ મુનીશ્વરે મળથી મુક્ત થવા માટે પરિપૂર્ણ સૌખ્યના નિધાનભૂત નિર્મળ નિજ સ્વરૂપને પ્રતિદિન ભાવવું. ૧૪૩.
[શ્લોકાર્થ –]ઘોર સંસારમહાર્ણવનું આ (પરમ તત્ત્વ) દેદીપ્યમાન નાવ છે એમ જિનંદ્રદેવે કાર્ડ છે; તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્ત્વને તત્ત્વતઃ (–પારમાર્થિક રીતે) ભાવું છું. ૧૪૪.