________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૧ તથા દિ–
(માનિની) मम सहजसुदृष्टौ शुद्धबोधे चरित्रे। सुकृतदुरितकर्मद्वन्दसंन्यासकाले। भवति स परमात्मा संवरे शुद्धयोगे न च न च भुवि कोऽप्यन्योस्ति मुक्त्यै पदार्थः॥१३५॥
(9) क्वचिल्लसति निर्मलं क्वचन निर्मलानिर्मलं क्वचित्पुनरनिर्मलं गहनमेवमज्ञस्य यत् । तदेव निजबोधदीपनिहताघभूछायकं
सतां हृदयपद्मसद्मनि च संस्थितं निश्चलम् ॥१३६॥ एगो य मरदि जीवो एगो य जीवदि सयं। एगस्स जादि मरणं एगो सिज्झदि णीरओ॥१०१॥
વળી (આ ૧૦૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે) :–
[શ્લોકાર્થ :–] મારા સહજ સમ્યગ્દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં, ચારિત્રામાં, સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મઠંદ્રના સંન્યાસકાળમાં (અર્થાત્ પ્રત્યાખ્યાનમાં), સંવરમાં અને શુદ્ધ યોગમાં (-શુદ્ધોપયોગમાં) તે પરમાત્મા જ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ બધાંયનો આશ્રય-અવલંબન શુદ્ધાત્મા જ છે); મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પણ પદાર્થ નથી, નથી. ૧૩૫.
[શ્લોકાર્થ –]જે ક્યારે કનિર્મળદેખાય છે, ક્યારે કનિર્મળ તેમજ અનિર્મળદેખાય છે, વળી કયારેક અનિર્મળ દેખાય છે અને તેથી અજ્ઞાનીને માટે જે ગહન છે, તે જ-કે જેણે નિજજ્ઞાનરૂપી દીપક વડે પાપતિમિરને નષ્ટ કર્યું છે તે (આત્મતત્ત્વ) જ–સપુરુષોના હૃદયકમળરૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. ૧૩૬.
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મ અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧.