________________
૧૯૨ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ एकश्च म्रियते जीवः एकश्च जीवति स्वयम् ।
एकस्य जायते मरणं एकः सिध्यति नीरजाः॥१०१॥ इह हि संसारावस्थायां मुक्तौ च निःसहायो जीव इत्युक्तः।
नित्यमरणे तद्भवमरणे च सहायमन्तरेण व्यवहारतश्चैक एव म्रियते; सादिसनिधनमूर्तिविजातीयविभावव्यंजननरनारकादिपर्यायोत्पत्तौ चासन्नगतानुपचरितासद्भूतव्यवहारनयादेशेन स्वयमेवोज्जीवत्येव। सर्वबंधुभिः परिरक्ष्यमाणस्यापि महाबलपराक्रमस्यैकस्य जीवस्याप्रार्थितमपि स्वयमेव जायते मरणम्; एक एव परमगुरुप्रसादासादितस्वात्माश्रयनिश्चयशुक्लध्यानबलेन स्वात्मानं ध्यात्वा नीरजाः सन् सद्यो निर्वाति।
तथा चोक्तम्
અન્વયાર્થ –[ની વાઃ ૨] જીવ એકલો [પ્રિય] મરે છે [૨] અને [સ્વયમ્ ઃ ] સ્વયં એકલો [નીતિ] જન્મે છે; [9] એકલાનું [મરાં વાય] મરણ થાય છે અને [] એકલો [નીરના ] રજ રહિત થયો થકો [સિધ્ધતિ] સિદ્ધ થાય છે.
ટીકા :–અહીં (-આ ગાથામાં), સંસારાવસ્થામાં અને મુક્તિમાં જીવ નિઃસહાય છે એમ કહ્યું છે.
નિત્ય મરણમાં (અર્થાત્ સમયે સમયે થતાં આયુકર્મના નિષેકોના ક્ષયમાં) અને તે ભવ સંબંધી મરણમાં, (બીજા કોઈની) સહાય વિના વ્યવહારથી (જીવ) એકલો જ મરે છે; તથા સાદિસાંત મૂર્તિક વિજાતીયવિભાવવ્યંજનપર્યાયરૂપ નરનારકાદિપર્યાયોની ઉત્પત્તિમાં, આસન્નઅનુપચરિતઅદ્ભૂત વ્યવહારનયના કથનથી (જીવ એકલો જ) સ્વયમેવ જન્મે છે. સર્વ બંધુજનોથી રક્ષણ કરવામાં આવતું હોવા છતાં પણ, મહાબળ પરાક્રમવાળા જીવનું એ કલાનું જ, અનિચ્છિત હોવા છતાં, સ્વયમેવ મરણ થાય છે; (જીવ) એકલો જ પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત સ્વાત્માશ્રિત નિશ્ચયશુક્લધ્યાનના બળે નિજ આત્માને ધ્યાને રજ રહિત થયો થકો શીધ્ર નિર્વાણ પામે છે.
એવી રીતે અન્યત્રી શ્લોક દ્વારા) કહ્યું છે કે :