________________
૧૩૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती। हिंसाइणियत्ती वा सरीरगुत्ति त्ति णिदिवा ॥७०॥
कायक्रियानिवृत्तिः कायोत्सर्गः शरीरके गुप्तिः।
हिंसादिनिवृत्तिर्वा शरीरगुप्तिरिति निर्दिष्टा ॥७०॥ निश्चयशरीरगुप्तिस्वरूपाख्यानमेतत् ।।
सर्वेषां जनानां कायेषु बह्वयः क्रिया विद्यन्ते, तासां निवृत्तिः कायोत्सर्गः, स एव गुप्तिर्भवति। पंचस्थावराणां त्रसानां च हिंसानिवृत्तिः कायगुप्तिर्वा। परमसंयमधरः परमजिनयोगीश्वरः यः स्वकीयं वपुः स्वस्य वपुषा विवेश तस्यापरिस्पंदमूर्तिरेव निश्चयकायगुप्तिरिति।
___ तथा चोक्तं तत्त्वानुशासने(મુનિશિરોમણિ) પ્રશસ્ત અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતોથકો, શુદ્ધ અને અશુદ્ધનયથી રહિત એવાઅનઘ (-નિર્દોષ)ચૈતન્યમાત્રચિંતામણિને પ્રાપ્ત કરીને, અનંતચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુક્તિને પામે છે. ૯૪.
જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્તિ છે;
હિંસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦. અન્વયાર્થ [ક્રિયનિવૃત્તિ ] કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ [સાયોત્સ:] કાયોત્સર્ગ [શરીર પુતિઃ] શરીરસંબંધી ગુપ્તિ છે; [વા] અથવા [હિસાવિનિવૃત્તિ ] હિંસાદિની નિવૃત્તિને [શરીર સઃ તિ] શરીરગુપ્તિ [નિર્વિદા] કહી છે.
ટીકા –આ. નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.
સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે; તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે; તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે. અથવા પાંચ સ્થાવરોની અને ત્રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિછે.જે પરમસંયમધરપરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદમૂર્તિ જ (-અકંપા દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.
એવી રીતે શ્રી તત્ત્વાનુશાસનમાં (શ્લોક દ્વારા) કહ્યડે છે કે :