________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૫ इह हि पंचमव्रतस्वरूपमुक्तम्।
सकलपरिग्रहपरित्यागलक्षणनिजकारणपरमात्मस्वरूपावस्थितानां परमसंयमिनां परमजिनयोगीश्वराणां सदैव निश्चयव्यवहारात्मकचारुचारित्रभरं वहतां, बाह्याभ्यन्तरचतुर्विंशतिपरिग्रहपरित्याग एव परंपरया पंचमगतिहेतुभूतं पंचमव्रतमिति।
તથા વો સમયસર– પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત) [સર્વેષાં પ્રસ્થાનાં ત્યા:] સર્વ પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભભાવ) તે, [વારિત્રમાં વહત ] “ચારિત્રભર વહનારને [પંચમવ્રતમ્ તિ મળત] પાંચમું વ્રત કહ્યર્ડ છે.
ટીકા :–અહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
સકળ પરિગ્રહનાપરિત્યાગસ્વરૂપનિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત સ્થિર રહેલા) પરમસંયમીઓને–પરમ જિનયોગીશ્વરોને–સદાય નિશ્ચયવ્યવહારાત્મક સુંદર ચારિત્રાભર વહનારાઓને, બાહ્યઅત્યંતર ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ પરંપરાએ પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૨૦૮મી ગાથા દ્વારા) કૌટું છે કે –
શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહારવ્રત પણ કહેવાતો નથી. [આ પાંચમા વ્રતની માફક
અન્ય વ્રતોનું પણ સમજી લેવું.] ૧. ચારિત્રભર = ચારિત્રનો ભાર; ચારિત્રસમૂહ; ચારિત્રની અતિશયતા.
શુભોપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહતુ કહેલ છે. ખરેખર તો શુભોપયોગી મુનિને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મદ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહારવ્રતને મોક્ષનો પરંપરા હેતુ કહેવામાં આવે છે. જયાં શુદ્ધપરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જયાં મોક્ષનો યથાર્થ પરંપરાતુ પ્રગટ્યો જ નથી–વિદ્યમાન જ નથી ત્યાં શુભોપયોગમાં આરોપ કોનો કરવો?