________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
पच्यमानसमस्तदीनजनतामहत्क्लेशनिर्नाशनसमर्थसजलजलदेन कथिताः खलु सप्त तत्त्वानि नव पदार्थाश्चेति।
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभि:
( ). 'अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात्। निःसन्देहं वेद यदाहस्तज्ज्ञानमागमिनः।।"
(દરિણી) ललितललितं शुद्धं निर्वाणकारणकारणं निखिलभविनामेतत्कर्णामृतं जिनसद्वचः। भवपरिभवारण्यज्वालित्विषां प्रशमे जलं प्रतिदिनमहं वन्दे वन्द्यं सदा जिनयोगिभिः।। १५ ।।
(-અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષ-મહેલનું પ્રથમ પગથિયું છે અને જે કામભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાકલેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ (-પાણી ભરેલું વાદળું) છે, તેણે-ખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે.
એવી જ રીતે (આચાર્યદેવ) શ્રી સમતભદ્રસ્વામીએ (રત્નકાંડશ્રાવકાચારમાં ૪૨ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-] જે ન્યૂનતા વિના, અધિક્તા વિના, વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે તેને આગમીઓ જ્ઞાન (સમ્યજ્ઞાન) કહે છે.''
[ હવે આઠમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા જિનવાણીનેજિનાગમને વંદન કરે છે.]
[ શ્લોકાર્થ-] જે (જિનવચન) લલિતમાં લલિત છે, જે શુદ્ધ છે, જે નિર્વાણના કારણનું કારણ છે, જે સર્વ જીવોના કર્મોને અમૃત છે, જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે અને જે જૈન યોગીઓ વડે સદા વંધ છે, તે આ જિનભગવાનનાં સવચનને (સમ્યક જિનાગમને ) હું પ્રતિદિન વંદું છું. ૧૫.
૧. આગમીઓ = આગમવતો; આગમના જાણનારાઓ. ૨. લલિતમાં લલિત = અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં; અતિશય મનોહર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com