________________
૩૨૨ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
છે.
નિયમસાર
ज्ञानं परप्रकाशं तदा ज्ञानेन दर्शनं भिन्नम्। न भवति परद्रव्यगतं दर्शनमिति वर्णितं तस्मात् ।। १६२ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
पूर्वसूत्रोपात्तपुर्वपक्षस्य सिद्धान्तोक्तिरियम्।
केवलं परप्रकाशकं यदि चेत् ज्ञानं तदा परप्रकाशकप्रधानेनानेन ज्ञानेन दर्शनं भिन्नमेव। परप्रकाशकस्य ज्ञानस्य चात्मप्रकाशकस्य दर्शनस्य च कथं सम्बन्ध इति चेत् सह्यविंध्ययोरिव अथवा भागीरथी श्रीपर्वतवत्। आत्मनिष्ठं यत् तद् दर्शनमस्त्येव, निराधारत्वात् तस्य ज्ञानस्य शून्यतापत्तिरेव, अथवा यत्र तत्र गतं ज्ञानं तत्तद्द्रव्यं सर्वं चेतनत्वमापद्यते अतस्त्रिभुवने न कश्चिदचेतनः पदार्थः इति महतो दूषणस्यावतारः। तदेव ज्ञानं केवलं न परप्रकाशकम् इत्युच्यते हे शिष्य तर्हि दर्शनमपि केवलमात्मगतमित्यभिहितम्। ततः खल्विदमेव समाधानं सिद्धान्तहृदयं ज्ञान
न
.
અન્વયાર્થ:[ જ્ઞાનં પરપ્રાશં] જો જ્ઞાન (કેવળ) ૫૨પ્રકાશક હોય [તવા] તો [જ્ઞાનેન] જ્ઞાનથી [ વર્શન] દર્શન [મિત્રમ્ ] ભિન્ન ઠરે, [ વર્શનમ્ પદ્રવ્યાતં ન ભવતિ કૃતિ વર્જિત તસ્માત્] કારણ કે દર્શન પદ્રભગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વ સૂત્રમાં તારું મન્તવ્ય ) વર્ણવવામાં આવ્યું છે.
ટીકા:-આ, પૂર્વ સૂત્રમાં (૧૬૧ મી ગાથામાં) કહેલા પૂર્વપક્ષના સિદ્ધાંત સંબંધી કથન
જો જ્ઞાન કેવળ ૫૨પ્રકાશક હોય તો આ પરપ્રકાશનપ્રધાન (પરપ્રકાશક) જ્ઞાનથી દર્શન ભિન્ન જ ઠરે; (કારણ કે) સહ્યાચલ અને વિંધ્યાચલની માફક અથવા ગંગા અને શ્રીપર્વતની માફક, પ૨પ્રકાશક જ્ઞાનને અને આત્મપ્રકાશક દર્શનને સંબંધ કઈ રીતે હોય ? જે આત્મનિષ્ઠ (-આત્મામાં રહેલું) છે તે તો દર્શન જ છે. અને પેલા જ્ઞાનને તો, નિરાધારપણાને લીધે (અર્થાત્ આત્મારૂપી આધાર નહિ રહેવાથી), શૂન્યતાની આપત્તિ જ આવેઃ અથવા તો જ્યાં જ્યાં જ્ઞાન પહોંચે ( અર્થાત્ જે જે દ્રવ્યને જ્ઞાન પહોંચે ) તે તે સર્વ દ્રવ્ય ચેતનપણાને પામે, તેથી ત્રણ લોકમાં કોઈ અચેતન પદાર્થ ન ઠરે એ મોટો દોષ પ્રાપ્ત થાય. માટે જ (ઉપર કહેલા દોષના ભયથી ), હું શિષ્ય ! જ્ઞાન કેવળ ૫૨પ્રકાશક નથી એમ જો તું કહે, તો દર્શન પણ કેવળ આત્મગત (સ્વપ્રકાશક) નથી એમ પણ (તેમાં સાથે જ) કહેવાઈ ગયું. તેથી ખરેખર સિદ્ધાંતના હાર્દરૂપ એવું આ જ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com