________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
परिचत्ता परभावं अप्पाणं झादि णिम्मलसहावं। अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं।।१४६ ।।
परित्यज्य परभावं आत्मानं ध्यायति निर्मलस्वभावम्।
आत्मवशः स भवति खलु तस्य तु कर्म भणन्त्यावश्यम्।।१४६ ।। अत्र हि साक्षात् स्ववशस्य परमजिनयोगीश्वरस्य स्वरूपमुक्तम्।
यस्तु निरुपरागनिरंजनस्वभावत्वादौदयिकादिपरभावानां समुदयं परित्यज्य कायकरणवाचामगोचरं सदा निरावरणत्वान्निर्मलस्वभावं निखिलदुरघवीरवैरिवाहिनीपताकालुंटाकं निजकारणपरमात्मानं ध्यायति स एवात्मवश इत्युक्तः। तस्याभेदानुपचाररत्नत्रयात्मकस्य निखिलबाह्यक्रियाकांडाडंबरविविधविकल्पमहाकोलाहलप्रतिपक्षमहानंदानंदप्रदनिश्चयधर्मशुक्लध्यानात्मकपरमावश्यककर्म भवतीति।
પરભાવ છોડી, આત્મને ધ્યાને વિશુદ્ધસ્વભાવને, છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬.
અન્વયાર્થ પરમાવે પરિત્યજ્ય ] જે પરભાવને પરિત્યાગીને [ નિર્મનં–સ્વભાવસ્] નિર્મળ સ્વભાવવાળા [માત્માનં ] આત્માને [ધ્યાતિ] ધ્યાવે છે, [ : ઉr] તે ખરેખર [ ગાત્મવર: મવતિ] આત્મવશ છે [તરા તુ] અને તેને [કાવશ્યમ્ ] આવશ્યક કર્મ [ મળત્તિ] (જિનો) કહે છે.
ટીકા:-અહીં ખરેખર સાક્ષાત્ સ્વવશ પરમજિનયોગીશ્વરનું સ્વરૂપ કહ્યું છે.
જે (શ્રમણ ) નિરુપરાગ નિરંજન સ્વભાવવાળો હોવાને લીધે ઔદયિકાદિ પરભાવોના સમુદાયને પરિત્યાગીને, નિજ કારણપરમાત્માને-કે જે (કારણપરમાત્મા) કાયા, ઇંદ્રિય અને વાણીને અગોચર છે, સદા નિરાવરણ હોવાથી નિર્મળ સ્વભાવવાળો છે અને સમસ્ત *દુરઘરૂપી વીર શત્રુઓની સેનાના ધ્વજને લૂંટનારો છે તેને-ધ્યાવે છે, તેને જ (–તે શ્રમણને જ) આત્મવશ કહેવામાં આવ્યો છે. તે અભેદ-અનુપચાર-રત્નત્રયાત્મક શ્રમણને સમસ્ત બાહ્યક્રિયાકાંડ-આડંબરના વિવિધ વિકલ્પોના મહા કોલાહલથી પ્રતિપક્ષ *મહા-આનંદાનંદપ્રદ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશકલધ્યાન-સ્વરૂપ પરમાવશ્યક-કર્મ છે.
* દુરઘ = દુષ્ટ અઘ; દુષ્ટ પાપ (અશુભ તેમ જ શુભ કર્મ બંને દુરઘ છે. ) * પરમ આવશ્યક કર્મ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુકલધ્યાનસ્વરૂપ છે-કે જે ધ્યાનો મહા
આનંદ-આનંદનાં દેનારાં છે. આ મહા આનંદ-આનંદ વિકલ્પોના મહા કોલાહલથી વિરુદ્ધ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com