________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
निजपरमात्मभक्तिस्वरूपाख्यानमेतत्।
भेदकल्पनानिरपेक्षनिरुपचाररत्नत्रयात्मके निरुपरागमोक्षमार्गे निरंजननिजपरमात्मानंदपीयूषपानाभिमुखो जीवः स्वात्मानं संस्थाप्यापि च करोति निर्वृतेर्मुक्त्यङ्गनायाः चरणनलिने परमां भक्तिं, तेन कारणेन स भव्यो भक्तिगुणेन निरावरणसहजज्ञानगुणत्वादसहायगुणात्मकं निजात्मानं प्राप्नोति।
( ધરા) आत्मा ह्यात्मानमात्मन्यविचलितमहाशुद्धरत्नत्रयेऽस्मिन् नित्ये निर्मुक्तिहेतौ निरुपमसहजज्ञानदृक्शीलरूपे। संस्थाप्यानंदभास्वन्निरतिशयगृहं चिच्चमत्कारभक्त्या प्राप्नोत्युच्चैरयं यं विगलितविपदं सिद्धिसीमन्तिनीशः।। २२७ ।।
ટીકા-આ, નિજ પરમાત્માની ભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરંજન નિજ પરમાત્માનું આનંદામૃત પીવામાં અભિમુખ જીવ ભેદકલ્પના-નિરપેક્ષ નિરૂપચાર-રત્નત્રયાત્મક નિરૂપરાગ મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિનાં-મુક્તિરૂપી સ્ત્રીના-ચરણકમળની પરમ ભક્તિ કરે છે, તે કારણથી તે ભવ્ય જીવ ભક્તિગુણ વડે નિજ આત્માને-કે જે નિરાવરણ સહજ જ્ઞાનગુણવાળો હોવાથી અસહાયગુણાત્મક છે તેને-પ્રાપ્ત કરે છે.
[ હવે આ ૧૩૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-] આ અવિચલિત-મહાશુદ્ધ-રત્નત્રયવાળા, મુક્તિના હેતુભૂત નિરુપમસહજ-જ્ઞાનદર્શનચારિત્રરૂપ, નિત્ય આત્મામાં આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને, આ આત્મા ચૈતન્ય ચમત્કારની ભક્તિ વડે 'નિરતિશય ઘરને-કે જેમાંથી વિપદાઓ દૂર થઈ છે અને જે આનંદથી ભવ્ય (શોભીતું) છે તેને અત્યંત પ્રાપ્ત કરે છે અર્થાત્ સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે. ૨૨૭.
૧. નિપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર, નિર્મળ; શુદ્ધ. ૨. નિરતિશય = જેનાથી કોઈ ચડિયાતું નથી એવા; અનુત્તમ; શ્રેષ્ઠ: અજોડ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com