________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૫ર ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(માતિની) इदमिदमघसेनावैजयन्ती हरेत्तां स्फुटितसहजतेजःपुंजदूरीकृतांहः। प्रबलतरतमस्तोमं सदा शुद्धशुद्धं जयति जगति नित्यं चिच्चमत्कारमात्रम्।। २१० ।।
(પૃથ્વી). जयत्यनघमात्मतत्त्वमिदमस्तसंसारकं महामुनिगणाधिनाथहृदयारविन्दस्थितम्। विमुक्तभवकारणं स्फुटितशुद्धमेकान्ततः सदा निजमहिम्नि लीनमपि सदृशां गोचरम्।। २११ ।।
(અર્થાત્ ચાર ગતિના જન્મોમાં સુખદુઃખ શુભાશુભ કૃત્યોથી થાય છે). વળી બીજી રીતે (-નિશ્ચયનય), આત્માને શુભનો પણ અભાવ છે તેમ જ અશુભ પરિણતિ પણ નથી-નથી, કારણ કે આ લોકમાં એક આત્માને (અર્થાત્ આત્મા સદા એકરૂપ હોવાથી તેને) ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી. આ રીતે જે ભવગુણોના સમૂથી સંન્યસ્ત છે (અર્થાત જે શુભ-અશુભ, રાગ-દ્વેષ વગેરે ભવના ગુણોથી-વિભાવોથી-રહિત છે) તેને (-નિત્યશુદ્ધ આત્માને ) હું સ્તવું છું. ર૦૯.
[શ્લોકાર્થ-] સદા શુદ્ધ-શુદ્ધ એવું આ (પ્રત્યક્ષ ) ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વ જગતમાં નિત્ય જયવંત છે-કે જેણે પ્રગટ થયેલા સહજ તેજ:પુંજ વડે સ્વધર્મ-ત્યાગરૂપ (મોહરૂપ) અતિપ્રબળ તિમિરસમૂહને દૂર કર્યો છે અને જે પેલી *અઘ-સેનાની ધજાને હરી લે છે. ૨૧૦.
Rા અનઘ (નિર્દોષ ) આત્મતત્ત્વ જયવંત છે-કે જેણે સંસારને અસ્ત કર્યો છે, જે મહામુનિગણના અધિનાથના (-ગણધરોના) હૃદયારવિંદમાં સ્થિત છે, જેણે ભવનું કારણ તજી દીધું છે, જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે (અર્થાત્ જે સર્વથા-શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે) અને જે સદા (ટંકોત્કીર્ણ ચૈતન્યસામાન્યરૂપ) નિજ મહિનામાં લીન હોવા છતાં સમ્યગ્દષ્ટિઓને ગોચર છે. ૨૧૧.
* અઘ = દોષ; પાપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com