________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
इह हि सकलकर्मनिर्मूलनसमर्थनिश्चयप्रायश्चित्तमुक्तम्।
क्रोधादिनिखिलमोहरागद्वेषविभावस्वभावक्षयकारणनिजकारणपरमात्मस्वभावभावना यां सत्यां निसर्गवृत्त्या प्रायश्चित्तमभिहितम्, अथवा परमात्मगुणात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपसहजज्ञानादिसहजगुणचिंता प्रायश्चित्तं भवतीति ।
( शालिनी प्रायश्चित्तमुक्तमुच्चैर्मुनीनां कामक्रोधाद्यन्यभावक्षये च ।
किं च स्वस्य ज्ञानसंभावना वा सन्तो जानन्त्येतदात्मप्रवादे ।। १८१ ।।
[૨૨૭
कोहं खमया माणं समद्द्वेणज्जवेण मायं च। संतोसेण य लोहं जयदि खु ए चहुविहकसाए।। ११५ ।।
નિજ ગુણોનું ચિંતન કરવું તે [નિશ્ચયતઃ ] નિશ્ચયથી [પ્રાયશ્ચિત્ત મળિતત્] પ્રાયશ્ચિત કહ્યું છે.
ટીકા:-અહીં (આ ગાથામાં ) સકળ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ એવું નિશ્ચય-પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે.
ક્રોધાદિક સમસ્ત મોહરાગદ્વેષરૂપ વિભાવસ્વભાવોના ક્ષયના કારણભૂત નિજ કારણપરમાત્માના સ્વભાવની ભાવના હોતાં નિસર્ગવૃત્તિને લીધે ( અર્થાત્ સ્વાભાવિક-સહજ પરિણિત હોવાને લીધે) પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે; અથવા, પરમાત્માના ગુણાત્મક એવા જે શુદ્ધ-અંતઃતત્ત્વરૂપ (નિજ) સ્વરૂપના સહજજ્ઞાનાદિક સહજગુણો તેમનું ચિંતન કરવું તે પ્રાયશ્ચિત્ત
છે.
[હવે આ ૧૧૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] મુનિઓને કામક્રોધાદિક અન્ય ભાવોના ક્ષયની જે સંભાવના અથવા તો પોતાના જ્ઞાનની જે સંભાવના (-સમ્યક્ ભાવના) તે ઉગ્ર પ્રાયશ્ચિત્ત કહેલ છે. સંતોએ આત્મપ્રવાદમાં આમ જાણ્યું છે (અર્થાત્ જાણીને કહ્યું છે ). ૧૮૧.
જીતે ક્ષમાથી ક્રોધને, નિજ માર્દવેથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com