________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
क्रोधं क्षमया मानं स्वमार्दवेन आर्जवेन मायां च। संतोषेण च लोभं जयति खलु चतुर्विधकषायान्।। ११५ ।।
चतुष्कषायविजयोपायस्वरूपाख्यानमेतत्।
जघन्यमध्यमोत्तमभेदात्क्षमास्तिस्रो भवन्ति। अकारणादप्रियवादिनो मिथ्यादृष्टेरकारणेन मां त्रासयितुमुद्योगो विद्यते, अयमपगतो मत्पुण्येनेति प्रथमा क्षमा।
कारणेन संत्रासकरस्य ताडनवधादिपरिणामोऽस्ति. अयं चापगतो मत्सकतेनेति द्वितीया क्षमा। वधे सत्यमूर्तस्य परमब्रह्मरूपिणो ममापकारहानिरिति परमसमरसीभावस्थितिरुत्तमा क्षमा। आभिः क्षमाभिः क्रोधकषायं जित्वा, मानकषायं मार्दवेन च, मायाकषायं चार्जवेण, परमतत्त्वलाभसन्तोषेण लोभकषायं चेति।
અન્વયાર્થ:–ોઈ ક્ષમયા] ક્રોધને ક્ષમાથી, [મનું સ્વમાર્વવેન] માનને નિજ માર્દવથી, [માયાં માર્ક્સવેન] માયાને આજીવથી [૨] તથા [નોર્મ સંતોષળ] લોભને સંતોષથી[ ચતુર્વિધવષાયાન] એમ ચતુર્વિધ કષાયોને [ 7 નયતિ ] (યોગી ) ખરેખર જીતે
ટીકા:-આ, ચાર કષાયો પર વિજય મેળવવાના ઉપાયના સ્વરૂપનું કથન છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એવા (ત્રણ) ભેદોને લીધે ક્ષમા ત્રણ (પ્રકારની) છે. (૧) ‘વિના-કારણ અપ્રિય બોલનાર મિથ્યાદષ્ટિને વિના-કારણ મને ત્રાસ દેવાનો ઉદ્યોગ વર્તે છે, તે મારા પુણ્યથી દૂર થયો; –આમ વિચારી ક્ષમા કરવી તે પ્રથમ ક્ષમા છે. (૨) (મારા પર) વિના-કારણ ત્રાસ ગુજારનારને 'તાડનનો અને વધનો પરિણામ વર્તે છે, તે મારા સુકૃતથી દૂર થયો;”—આમ વિચારી ક્ષમા કરવી તે દ્વિતીય ક્ષમા છે. (૩) વધ થતાં અમૂર્ત પરમબ્રહ્મરૂપ એવા મને નુકસાન થતું નથી-એમ સમજી પરમ સમરસીભાવમાં સ્થિત રહેવું તે ઉત્તમ ક્ષમા છે. આ (ત્રણ) ક્ષમાઓ વડે ક્રોધકષાયને જીતીને, માર્દવ વડે માનકષાયને, આર્જવ વડે માયાકષાયને તથા પરમતત્ત્વની પ્રાસિરૂપ સંતોષથી લોભકષાયને (યોગી) જીતે છે.
૧. તાડન = માર મારવો તે ૨. વધ = મારી નાખવું તે ૩. માર્દવ = નરમાશ; કોમળતાઃ નિર્માનતા. ૪. આર્જવ = ઋજુતા; સરળતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com