________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
इहान्तर्मुखस्य परमतपोधनस्य भावशुद्धिरुक्ता।
विमुक्तसकलेन्द्रियव्यापारस्य मम भेदविज्ञानिष्वज्ञानिषु च समता; मित्रामित्रपरिणतेरभावान्न मे केनचिज्जनेन सह वैरम; सहजवैराग्यपरिणते: न मे काप्याशा विद्यते; परमसमरसीभावसनाथपरमसमाधिं प्रपद्येऽहमिति।
तथा चोक्तं श्रीयोगीन्द्रदेवै:
(વસંતતિર્તા ) 'मुक्त्वालसत्वमधिसत्त्वबलोपपन्नः स्मृत्वा परां च समतां कुलदेवतां त्वम्। संज्ञानचक्रमिदमङ्ग गृहाण तूर्णमज्ञानमन्त्रियुतमोहरिपूपमर्दि।।''
तथा हि
મારે [ વનવિસ્] કોઈ સાથે [ વૈર 1] વેર નથી; [નૂન] ખરેખર [ નશાનું ઉત્કૃષ્ય ] આશાને છોડીને [ સમાધિ: પ્રતિપદ્યતે ] હું સમાધિને પ્રાપ્ત કરું છું.
ટીકા:-અહીં (આ ગાથામાં) અંતર્મુખ પરમ-તપોધનની ભાવશુદ્ધિનું કથન છે.
જેણે સમસ્ત ઇંદ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદવિજ્ઞાનીઓ તેમ જ અજ્ઞાનીઓ પ્રત્યે સમતા છે: મિત્ર-અમિત્રરૂપ (મિત્રરૂપ કે શત્રરૂપ) પરિણતિના અભાવને મને કોઈ પ્રાણી સાથે વેર નથી; સહજ વૈરાગ્યપરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી; પરમ સમરસીભાવસંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું (અર્થાત્ પરમ સમાધિને પ્રાપ્ત કરું છું ).
એવી રીતે શ્રી યોગેંદ્રદેવે (અમૃતાશીતિમાં ૨૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કે -
‘‘[ શ્લોકાર્થ-] હે ભાઈ ! સ્વાભાવિક બળસંપન્ન એવો તું આળસ તજીને, ઉત્કૃષ્ટ સમતારૂપી કુળદેવીને સ્મરીને, અજ્ઞાનમંત્રી સહિત મોહશત્રુનો નાશ કરનારા આ સમ્યજ્ઞાનરૂપી ચક્રને શીધ્ર ગ્રહણ કર.''
વળી (આ ૧૦૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com