SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર [ ૧૮૯ आत्मा खलु मम ज्ञाने आत्मा मे दर्शने चरित्रे च। आत्मा प्रत्याख्याने आत्मा मे संवरे योगे।। १०० ।। अत्र सर्वत्रात्मोपादेय इत्युक्तः। अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजसौख्यात्मा ह्यात्मा। स खलु सहजशुद्धज्ञानचेतनापरिणतस्य मम सम्यग्ज्ञाने च, स च प्रांचितपरमपंचमगतिप्राप्तिहेतुभूतपंचमभावभावनापरिणतस्य मम सहजसम्यग्दर्शनविषये च, साक्षानिर्वाणप्राप्त्युपायस्वस्वरूपाविचलस्थितिरूपसहजपरमचारित्रपरिणतेर्मम सहजचारित्रेऽपि स परमात्मा सदा संनिहितश्च, स चात्मा सदासन्नस्थः शुभाशुभपुण्यपापसुखदुःखानां षण्णां सकलसंन्यासात्मकनिश्चयप्रत्याख्याने च मम भेदविज्ञानिन: परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य, मम सहजवैराग्यप्रासादशिखरशिखामणे: स्वरूपगुप्तस्य पापाटवीपावकस्य शुभाशुभसंवरयोश्च , અન્વયાર્થઃ ] ખરેખર [ મન જ્ઞાને] મારા જ્ઞાનમાં [માત્મા ] આત્મા છે, [P ર] મારા દર્શનમાં [૨] તથા [ વરિત્રે] ચારિત્રમાં [ષાત્મા] આત્મા છે, [પ્રત્યારથાને] મારા પ્રત્યાખ્યાનમાં [ માત્મા] આત્મા છે, [મે સંવરે યોn] મારા સંવરમાં તથા યોગમાં (–શુદ્ધોપયોગમાં) [ માત્મા] આત્મા છે. ટીકા:-અહીં (–આ ગાથામાં), સર્વત્ર આત્મા ઉપાદેય ( ગ્રહણ કરવા યોગ્ય ) છે એમ કહ્યું છે. આત્મા ખરેખર અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળો, શુદ્ધ, સહજસૌખ્યાત્મક છે. સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમેલો જે હું તેના (અર્થાત્ મારા) સમ્યજ્ઞાનમાં ખરેખર તે (આત્મા) છે; પૂજિત પરમ પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત પંચમભાવની ભાવનારૂપે પરિણમેલો જે હું તેના સહજ સમ્યગ્દર્શનવિષયે (અર્થાત મારા સહજ સમ્યગ્દર્શનમાં ) તે (આત્મા) છે; સાક્ષાત્ નિર્વાણપ્રાપ્તિના ઉપાયભૂત, નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજપરમચારિત્રપરિણતિવાળો જે હું તેના (અર્થાત મારા) સહજ ચારિત્રમાં પણ તે પરમાત્મા સદા સંનિહિત (-નિકટ) છે; ભેદવિજ્ઞાની, પરદ્રવ્યથી પરામુખ અને પંચેદ્રિયના ફેલાવ રહિત દેહમાત્રપરિગ્રહવાળો જે હું તેના નિશ્ચયપ્રત્યાખ્યાનમાં-કે જે (નિશ્ચયપ્રત્યાખ્યાન) શુભ, અશુભ, પુષ્ય, પાપ, સુખ અને દુઃખ એ છના સકળસંન્યાસસ્વરૂપ છે (અર્થાત એ છ વસ્તુઓના સંપૂર્ણ ત્યાગસ્વરૂપ છે) તેમ-તે આત્મા સદા આસન્ન (-નિકટ) રહેલો છે; સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ, સ્વરૂપગુપ્ત અને પાપરૂપી અટવીને બાળવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy