________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(શિરવારની) "निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः संत्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विदंत्येते परमममृतं तत्र निरताः।।"
તથા દિ
| (મત્તિની). अथ नियतमनोवाक्कायकृत्स्नेन्द्रियेच्छो भववनधिसमुत्थं मोहयादःसमूहम्। कनकयुवतिवांच्छामप्यहं सर्वशक्त्या प्रबलतरविशुद्धध्यानमय्या त्यजामि।। १३४ ।।
आदा खु मज्झ णाणे आदा मे सणे चरित्ते य। आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे।। १०० ।।
“[ શ્લોકાર્થ:-] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, મુનિઓ કાંઈ અશરણ નથી; (કારણ કે, જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ-અવસ્થા) પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે; તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા પરમ અમૃતને પોતે અનુભવે છે-આસ્વાદે છે.''
વળી ( આ ૯૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] મન-વચન-કાયા સંબંધી અને સમસ્ત ઇન્દ્રિયો સંબંધી ઇચ્છાનું જેણે *નિયંત્રણ કર્યું છે એવો હું હવે ભવસાગરમાં ઉત્પન્ન થતા મોહરૂપી જળચર પ્રાણીઓના સમૂહને તેમ જ કનક અને યુવતીની વાંછાને અતિપ્રબળ-વિશુદ્ધધ્યાનમયી સર્વ શક્તિથી તજાં છું. ૧૩૪.
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-ચોગમાં પણ આતમાં. ૧00.
* નિયંત્રણ કરવું = સંયમન કરવું; કાબૂ મેળવવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com