________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૧
त्यक्त्वा। त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिरंजननिजपरमपारिणामिकभावात्मककारणपरमात्मा ह्यात्मा. तत्स्वरूपश्रद्धानपरिज्ञानाचरणस्वरूपं हि निश्चयरत्नत्रयमः एवं भगवत्परमात्मसुखाभिलाषी यः परमपुरुषार्थपरायणः शुद्धरत्नत्रयात्मकम् आत्मानं भावयति स परमतपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्तः।
(વસંતતિતા) त्यक्त्वा विभावमखिलं व्यवहारमार्गरत्नत्रयं च मतिमान्निजतत्त्ववेदी। शुद्धात्मतत्त्वनियतं निजबोधमेकं श्रद्धानमन्यदपरं चरणं प्रपेदे।। १२२ ।।
उत्तमअटुं आदा तम्हि ठिदा हणदि मुणिवरा कम्म। तम्हा दु झाणमेव हि उत्तमअट्ठस्स पडिकमणं।। ९२ ।।
શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનના રૂપથી વિમુખપણું તે જ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક (મિથ્યા) રત્નત્રય છે;-આને પણ (નિરવશેષપણે ) છોડીને, ત્રિકાળ-નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવો, નિરંજન નિજ પરમપરિણામિકભાવસ્વરૂપ કારણપરમાત્મા તે આત્મા છે; તેના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણનું રૂપ તે ખરેખર નિશ્ચયરત્નત્રય છે;-આમ ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી એવો જે પરમપુરુષાર્થપરાયણ (પરમ તપોધન ) શુદ્ધરત્નત્રયાત્મક આત્માને ભાવે છે, તે પરમ તપોધનને જ (શાસ્ત્રમાં) નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહ્યો છે.
| [ હવે આ ૯૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
[ોકાર્થ-] સમસ્ત વિભાવને તથા વ્યવહારમાર્ગના રત્નત્રયને છોડીને નિજતત્ત્વવેદી (નિજ આત્મતત્ત્વને જાણનાર-અનુભવનાર) મતિમાન પુરુષ શુદ્ધ આત્મતત્ત્વમાં નિયત (–શુદ્ધાત્મતત્ત્વપરાયણ ) એવું જે એક નિજજ્ઞાન, બીજાં શ્રદ્ધાન અને વળી બીજાં ચારિત્ર તેનો આશ્રય કરે છે. ૧૨૨.
આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રસ્થ મુનિ કર્મો હણે; તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com