________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૩
मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८७ ।।
मुक्त्वा शल्यभावं निःशल्ये यस्तु साधुः परिणमति। स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८७ ।।
इह हि निःशल्यभावपरिणतमहातपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्तः।
निश्चयतो निःशल्यस्वरूपस्य परमात्मनस्तावद् व्यवहारनयबलेन कर्मपंकयुक्तत्वात निदानमायामिथ्याशल्यत्रयं विद्यत इत्युपचारतः। अत एव शल्यत्रयं परित्यज्य परमनिःशल्यस्वरूपे तिष्ठति यो हि परमयोगी स निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात् स्वरूपगतवास्तवप्रतिक्रमणमस्त्येवेति।
છે અને સર્વ સંકલ્પોથી મુક્ત છે, તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય? (અવશ્ય થાય જ.) ૧૧૫.
જે સાધુ છોડી શલ્યને નિઃશલ્યભાવે પરિણમે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૭.
અન્વયાર્થ [ : તુ સદુ:] જે સાધુ [7માવં] શલ્યભાવ [[વવા] છોડીને [ નિ:શન્ય] નિઃશલ્યભાવે [ પરિણતિ] પરિણમે છે, [ :] તે (સાધુ) [ પ્રતિક્રમણમ્ ] પ્રતિક્રમણ [૩વ્યતે] કહેવાય છે, [ માત્] કારણ કે તે [પ્રતિક્રમણમય: સવેત્] પ્રતિક્રમણમય
ટીકા:-અહીં નિઃશલ્યભાવે પરિણત મહાતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.
પ્રથમ તો, નિશ્ચયથી નિઃશલ્યસ્વરૂપ પરમાત્માને, વ્યવહારનયના બળે કર્માંકથી યુક્તપણું હોવાને લીધે (-વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે) “તેને નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે' એમ ઉપચારથી કહેવાય છે. આમ હોવાથી જ ત્રણ શલ્યો પરિત્યાગીને જે પરમ યોગી પરમ નિઃશલ્ય સ્વરૂપમાં રહે છે તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે તેને સ્વરૂપગત (-નિજ સ્વરૂપ સાથે સંબંધવાળું ) વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.
[ હવે આ ૮૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે]
૧૬૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com