________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૯
मुक्त्वानाचारमाचारे यस्तु करोति स्थिरभावम्। स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८५ ।।
अत्र निश्चयचरणात्मकस्य परमोपेक्षासंयमधरस्य निश्चयप्रतिक्रमणस्वरूपं च भवतीत्युक्तम्।
नियतं परमोपेक्षासंयमिनः शुद्धात्माराधनाव्यतिरिक्त: सर्वोऽप्यनाचारः, अत एव सर्वमनाचारं मुक्त्वा ह्याचारे सहजचिद्विलासलक्षणनिरंजने निजपरमात्मतत्त्वभावनास्वरूपे यः सहजवैराग्यभावनापरिणतः स्थिरभावं करोति, स परमतपोधन एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते , यस्मात् परमसमरसीभावनापरिणतः सहजनिश्चयप्रतिक्रमणमयो भवतीति।
અવયાર્થીનું : 1] જે (જીવ) [શના વારં] અનાચાર [ મુફ્તિા ] છોડીને [કાવારે] આચારમાં [રિશરમાવ+] સ્થિરભાવ [રોતિ] કરે છે, [:] તે (જીવ) [ પ્રતિવ્રમમ્] પ્રતિક્રમણ [૩વ્યતે] કહેવાય છે, [સ્માર્] કારણ કે તે [પ્રતિમામય: મવેત્ ] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક પરમોપેક્ષાસંયમના ધરનારને નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.
નિયમથી પરમોપેક્ષાસંયમવાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનું બધુંય અનાચાર છે; તેથી જ સઘળો અનાચાર છોડીને સહજચિવિલાસલક્ષણ નિરંજન નિજ પરમાત્મતત્ત્વની ભાવનાસ્વરૂપ *આચારમાં જે (પરમ તપોધન ) સહજવૈરાગ્યભાવનારૂપે પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે, તે પરમ તપોધન જ પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તે પરમ સમરસીભાવનારૂપે પરિણમ્યો થકો સહજ નિશ્ચયપ્રતિક્રમણમય છે.
[હવે આ ૮૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે: ]
* સહજચૈતન્યવિલાસાત્મક નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને ભાવવું-અનુભવવું તે જ આચારનું
સ્વરૂપ છે; એવા આચારમાં જે પરમ તપોધન સ્થિરતા કરે છે તે પોતે જ પ્રતિક્રમણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com