________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચરિત્ર અધિકાર
[ ૧૪૫
व्यवहारचारित्राधिकारव्याख्यानोपसंहारनिश्चयचारित्रसूचनोपन्यासोऽयम्।
इत्थंभूतायां प्रागुक्तपंचमहाव्रतपंचसमितिनिश्चयव्यवहारत्रिगुप्तिपंचपरमेष्ठिध्यानसंयुक्तायाम् अतिप्रशस्तशुभभावनायां व्यवहारनयाभिप्रायेण परमचारित्रं भवति, वक्ष्यमाणपंचमाधिकारे परमपंचमभावनिरतपंचमगतिहेतुभूतशुद्धनिश्चयनयात्मपरमचारित्रं द्रष्टव्यं भवतीति।
तथा चोक्तं मार्गप्रकाशे
(વંશરચ્છ) "कुसूलगर्भस्थितबीजसोदरं भवेद्विना येन सुदृष्टिबोधनम्। तदेव देवासुरमानवस्तुतं નમામિ ને વર પુનઃ પુનઃા ''
તથા દિ
ટીકા:-આ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે.
આવી જે પૂર્વોક્ત પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચય-વ્યવહાર ત્રિગુતિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત, અતિપ્રશસ્ત શુભ ભાવના તેમાં વ્યવહારનયના અભિપ્રાય પરમ ચારિત્ર છે; હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય (–દેખવાયોગ્ય) છે.
એવી રીતે માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા ) કહ્યું છે કે
[ શ્લોકાર્થ-] જેના વિના (-જે ચારિત્ર વિના) સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કોઠારની અંદર પડી રહેલાં બીજ (અનાજ) જેવાં છે, તે જ દેવ-અસુર-માનવથી સ્તવવામાં આવેલા જૈન ચરણને (-એવું જે સુર-અસુર-મનુષ્યોથી સ્તવવામાં આવેલું જિનોક્ત ચારિત્ર તેને) હું ફરીફરીને નમું છું.'
વળી ( આ વ્યવહારચારિત્ર અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com