________________
૧૪૬ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
માર્યા )
शीलमपवर्गयोषिदनंगसुखस्यापि मूलमाचार्याः। प्राहुर्व्यवहारात्मकवृत्तमपि तस्य परंपरा हेतुः ।। १०७ ।।
इति
सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृतौ व्यवहारचारित्राधिकार: चतुर्थः श्रुतस्कन्धः।।
[ શ્લોકાર્થ:-] આચાર્યોએ શીલને ( -નિશ્ચયચારિત્રને ) મુક્તિસુંદરીના અનંગ ( (–અશરીરી ) સુખનું મૂળ કહ્યું છે; વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. ૧૦૭.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ) વ્યવહારચારિત્ર અધિકાર નામનો ચોથો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com