________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
अशुद्धजीवानां विभावधर्मं प्रति व्यवहारनयस्योदाहरणमिदम्।
इदानीं निश्चयस्योदाहृतिरुच्यते। तद्यथा
" जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा। अण्णं भिक्खमणेसणमध ते समणा अणाहारा ।।
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
..
(માલિની)
यमनियमनितान्तः शान्तबाह्यान्तरात्मा परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी। विहितहितमिताशी क्लेशजालं समूलं दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः।।"
[૧૨૩
-અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી ગાથામાં ) ઉદાહરણ છે.
હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે:
‘[ગાથાર્થ:- ] જેનો આત્મા એષણારતિ છે ( અર્થાત્ જે અનશનસ્વભાવી
આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી) તેને પ્રાપ્ત કરવા માટે (-અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (−સ્વરૂપથી જાદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત ) હોય છે; તેથી તે શ્રમણો અનાહારી છે.’’
એવી રીતે ( આચાર્યવ૨ ) શ્રી ગુણભદ્રસ્વામીએ ( આત્માનુશાસનમાં ૨૨૫મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘[શ્લોકાર્થ:-] જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, જે અત્યંત યમનિયમ સહિત છે, જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે, જેને સમાધિ પરિણમી છે, જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે, જે વિહિત (−શાસ્ત્રાજ્ઞા મુજબનું)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com