________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[૧૧૭
अत्रेर्यासमितिस्वरूपमुक्तम्।
यः परमसंयमी गुरुदेवयात्रादिप्रशस्तप्रयोजनमुद्दिश्यैकयुगप्रमाणं मार्गम् अवलोकयन् स्थावरजंगमप्राणिपरिरक्षार्थं दिवैव गच्छति, तस्य खलु परमश्रमणस्येर्यासमितिर्भवति। व्यवहारसमितिस्वरूपमुक्तम्।
इदानीं
निश्चयसमितिस्वरूपमुच्यते। अभेदानुपचाररत्नत्रयमार्गेण परमधर्मिणमात्मानं सम्यग् इता परिणति: समितिः। अथवा निजपरमतत्त्वनिरतसहज- परमबोधादिपरमधर्माणां संहतिः समितिः। इति निश्चयव्यवहारसमितिभेदं बुद्ध्वा तत्र परमनिश्चयसमितिमुपयातु भव्य इति। [ 1 ] તેને દૂર્વાસમિતિ: ] ઈર્યાસમિતિ [ મ ] હોય છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
જે *પરમસંયમી ગુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દેવ પાસે જવું) વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોંસરા જેટલો માર્ગ જોતો જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિરક્ષ (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે, તે પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. ( આ પ્રમાણે) વ્યવહારસમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
હવે નિશ્ચય સમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. અભેદ-અનુપચાર-રત્નત્રયરૂપી માર્ગે પરમધર્મી એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યક ઇતિ” ( –ગતિ ) અર્થાત પરિણતિ તે સમિતિ છે; અથવા, નિજ પરમતત્ત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે.
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (–તે બેમાંથી) પરમનિશ્ચય સમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો.
[ હવે ૬૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે: ]
* પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે
વર્તતો જે (હઠ વગરનો) ઈર્યાસબંધી (-ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં સુભોપયોગ હુઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. [ આ ઈર્યાસમિતિની માફક અન્ય સમિતિઓનું પણ સમજી લેવું.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com