________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૩
निहितं पतितं वा विस्मृतं वा परद्रव्यं दृष्ट्वा स्वीकारपरिणामं य: परित्यजति, तस्य हि तृतीयव्रतं भवति इति।
(સા ) आकर्षति रत्नानां संचयमुचैरचौर्य्यमेतदिह। स्वर्गस्त्रीसुखमूलं क्रमेण मुक्त्यंगनायाश्च ।। ७८ ।। दद्गुण इत्थिरूवं वांछाभावं णियत्तदे तासु। मेहुणसण्णविवज्जियपरिणामो अहव तुरियवदं।। ५९ ।।
दृष्ट्वा स्त्रीरूपं वांच्छाभावं निवर्तते तासु।
मैथुनसंज्ञाविवर्जितपरिणामोऽथवा तुरीयव्रतम्।। ५९ ।। चतुर्थव्रतस्वरूपकथनमिदम्।
વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે. આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકારપરિણામને (અર્થાત તેને પોતાની કરવાના-ગ્રહવાના પરિણામને ) જે પરિત્યજે છે, તેને ખરેખર ત્રીજાં વ્રત હોય છે.
[ હવે ૫૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[ શ્લોકાર્થ-] આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને (પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. ૭૮.
સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે, વા મિથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯.
અન્વયાર્થ – સ્ત્રીરૂપે દá] સ્ત્રીઓનું રૂપ દેખીને [તાસુ] તેમના પ્રત્યે [વાંચ્છામાd નિવર્તત] વાંછાભાવની નિવૃત્તિ તે [ષથવા] અથવા [ મૈથુન સંજ્ઞાવિવર્નિતપરિણામ:] મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે [તુરીયવ્રતમ્] ચોથું વ્રત છે.
ટીકાઃ-આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com