________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯૦) શરીર ઉપર નરકના કારણપણાનો આરોપ આવે છે અને જો જીવ મોક્ષને યોગ્ય નિર્મળભાવ કરે તો તે જ નિમિત્ત પર મોક્ષના કારણપણાનો આરોપ આવે છે આ રીતે ઉપાદાનના કાર્યાનુસાર નિમિત્તમાં કારણપણાનો ભિન્ન ભિન્ન આરોપ કરવામાં આવે છે. એથી એમ સિદ્ધ થાય છે કે નિમિત્તથી કાર્ય થતું નથી પરંતુ કથન થાય છે. માટે ઉપાદાન સાચું કારણ છે અને નિમિત્ત આરોપિત કારણ છે.
૧૩૪ પ્ર. પુદગલ કર્મ, યોગ, ઈન્દ્રિયોના ભોગ, ધન, ઘરના માણસો, મકાન ઇત્યાદિ આ જીવને રાગ-દ્વેષ પરિણામનાં પ્રેરક છે?
ઉ. છએ દ્રવ્ય સર્વ પોતપોતાના સ્વરૂપથી સદા અસહાય (-સ્વતંત્ર) પરિણમન કરે છે, કોઈ દ્રવ્ય કોઈનું પ્રેરક કદી નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com