________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮૨) ૧૩) પ્ર. ઉપાદાન કારણ કોને કહે છે?
ઉ. (૧) જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે, જેમ કે ઘડાની ઉત્પત્તિમાં માટી. (૨) અનાદિકાળથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં અનંતર પૂર્વેક્ષણવર્તીપર્યાય ઉપાદાન કારણ છે અને અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે.
(૩) તે સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ છે અને તે જ પર્યાય કાર્ય છે. ઉપાદાન તે જ સાચું (વાસ્તવિક ) કારણ છે.
[ નં. ૧ ધ્રુવ ઉપાદાન દ્રવ્યાર્થિક નયથી છે, નં. ૨-૩ ક્ષણિક ઉપાદાન પર્યાયાર્થિક નયથી છે]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com