________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૭૬ ) આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુનું સામાન્ય સ્વરૂપઃ- જે નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન સહિત વિરાગી બનીને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કરીને અંતરંગમાં તો તે જ શુદ્ધોપયોગ દ્વારા પોતાના આત્માનો અનુભવ કરે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા નથી, જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને છે. પરભવોમાં મમત્વ કરતાં નથી, કોઈને ઇષ્ટ-અનિષ્ટ માનીને તેમાં રાગ-દ્વેષ કરતા નથી, હિંસાદિ અશુભ ઉપયોગનું તો તેમને અસ્તિત્વ જ મટી ગયું છે, અનેક વાર સાતમા ગુણસ્થાનના નિર્વિકલ્પ આનંદમાં લીન રહ્યા કરે છે, જ્યારે છઠ્ઠી ગુણસ્થાનમાં આવે છે ત્યારે ૨૮ મૂળગુણોના અખંડ પાલનને માટે શુભ વિકલ્પ આવે અને એવા જ જૈનમુનિ (ગુરુ) હોય છે. (છઠા-સાતમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્ત છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com