________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
( ૭૫ )
નિશ્ચયથી અનંતગુણ છે. ]
(૩) આચાર્યનું સ્વરૂપ-પંચાચારોથી પરિપૂર્ણ પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલન કરનાર, ધી૨ અને ગુણગંભીર એવા આચાર્ય હોય છે. ૭૨. (આચાર્યના ૩૬ ગુણ હોય છે.)
(૪) ઉપાધ્યાયનું સ્વરૂપ:- રત્નત્રયસંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિ:કાંક્ષભાવ સહિત એવા ઉપાધ્યાય હોય છે. ૭૪. (ઉપાધ્યાયના ૨૫ ગુણ હોય છે. તે મુનિઓમાં શિક્ષકઅધ્યાપક છે. )
(૫) શ્રી સાધુનું સ્વરૂપ:- સમસ્ત વ્યાપારથી વિમુક્ત, ચાર પ્રકારની આરાધનામાં સદા લવલીન, નિગ્રંથ અને નિર્મોહ એવા સર્વ સાધુ હોય છે. ૭૫
(સાધુના ૨૮ મૂળગુણ હોય છે.)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com