________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૭૩)
શુદ્ધદશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. તેમાં આકુળતાનો અભાવ છે–પૂર્ણ સ્વાધીન નિરાકુળ સુખ છે. પરંતુ અજ્ઞાની એમ ન માનતાં શરીરમાં, મોજશોખમાં જ સુખ માને છે, મોક્ષમાં દેહ, ઇન્દ્રિય, ખાવું પીવું, મિત્રાદિ કાંઈ પણ હોતું નથી માટે અતીન્દ્રિય મોક્ષસુખ અજ્ઞાની માનતો નથી તે મોક્ષતત્ત્વની ભૂલ છે.
આ રીતે સાત તત્ત્વોની ભૂલથી અજ્ઞાની જીવ અનંતકાળથી સંસારમાં ભટકી રહ્યો છે.
( પ્રશ્ન ૮૯ના અનુસંધાનમાં)
૧૨૩ પ્ર. દેવ-ગુરુનું સ્વરૂપ શું છે?
ઉ. શ્રી અર્હત અને સિદ્ધ પરમેષ્ઠી દેવ છે, અને ભાવલિંગી દિગંબર મુનિ-આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ છે. ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com