________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૭૨)
હિતકારી માને છે. તત્ત્વદષ્ટિથી તો પુણ્ય-પાપ બને અહિતકર જ છે. પરંતુ અજ્ઞાની તેમ માનતો નથી તે બંધ તત્ત્વની ભૂલ છે.
(૫) સંવરતત્ત્વની ભૂલ- નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રજીવને હિતકારી છે. પણ મિથ્યાદષ્ટિ જીવ તેમને કષ્ટદાયક માને છે તે સંવરતત્ત્વની ભૂલ છે.
(૬) નિર્જરાતત્ત્વની ભૂલ:- આત્મામાં એકાગ્ર થઈને શુભ અને અશુભ બન્ને પ્રકારની ઇચ્છા રોકવાથી જે નિજઆત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે અને તે તપથી નિર્જરા થાય છે એવું તપ સુખદાયક છે. પરંતુ અજ્ઞાની તેને કલેશદાયક માને છે અને આત્માની જ્ઞાનાદિ અનંત શક્તિઓને ભૂલીને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનીને તેમાં જ પ્રીતિ કરે છે તે નિર્જરા તત્ત્વની ભૂલ છે.
(૭) મોક્ષતત્ત્વની ભૂલ:- આત્માની પરિપૂર્ણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com