________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૬૯) (૬) નિર્જરા- અખંડાનંદ નિજશુદ્ધાત્માના લક્ષના બળથી આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (-શુભાશુભ ઇચ્છારૂપ) અવસ્થાની આંશિક હાનિ કરવી તે ભાવનિર્જરા છે અને તે સમયે ખરવા યોગ્ય કર્મોનું અંશે ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે.
(૭) મોક્ષ- સર્વજ્ઞતા આદિ આત્માની શુદ્ધ પર્યાયોનું પ્રગટ થયું અને ભાવકર્મનો સર્વથા નાશ થવો તે ભાવમોક્ષ છે અને પોતાની યોગ્યતાથી દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોમાંથી અત્યંત અભાવ થવો તે દ્રવ્યમોક્ષ છે (૧૩માં ગુણસ્થાને ભાવમોક્ષ થાય છે.) ૧૨૨ પ્ર. મિથ્યાદષ્ટિ જીવ આ સાત તત્ત્વોની કેવી કેવી ભૂલ કરે છે?
ઉ. (૧) જીવતત્ત્વની ભૂલ- જીવ તો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે, તેને અજ્ઞાનવશ જીવ જાણતો નથી અંતે જે શરીર છે તે હું જ છું,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com