________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૭૦) શરીરનાં કાર્ય હું કરી શકું છું. એમ માને છે તથા શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય છે. બાહ્ય અનુકૂળ સંયોગથી હું સુખી અને બાહ્ય પ્રતિકૂળ સંયોગથી દુઃખી, હું નિર્બળ, હું મનુષ્ય, હું કુરૂપ, હું સુંદર એમ માને છે. શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિ ક્રિયાઓમાં નિજત્વ માને છે. એમ માનવું તે જ જીવતત્ત્વની ભૂલ છે.
(૨) અજીવ તત્ત્વની ભૂલ- મિથ્યા અભિપ્રાયવશ જીવ એમ માને છે કે શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઈશ, ધન, શરીર ઇત્યાદિ જડ પદાર્થોમાં પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીરને ભૂખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com