________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૬૪) (૨) પ્રધ્વસાભાવથી એમ સમજવું કે વર્તમાન અવસ્થામાં ધર્મ ન કર્યો હોય તોપણ તે અધર્મદશાનો તરત વ્યય (–અભાવ) કરીને જીવ નવા પુરુષાર્થથી ધર્મ પ્રગટ કરી શકે છે.
(૩) અન્યોન્યાભાવથી એમ સમજવું કે એક પુદ્ગલની દ્રવ્યની પર્યાય બીજા પુદ્ગલની પર્યાયને કાંઈ પણ કરી શકતી નથી. અર્થાત્ એકબીજાને મદદ, સહાય, અસર, પ્રેરણાદિ કાંઈ કરી શકતા નથી.
(૪) અત્યંતાભાવથી એમ સમજવું કે પ્રત્યેક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ હોવાથી એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કાંઈ પણ કરી શકતું નથી. અર્થાત્ સહાય, અસર, મદદ, પ્રેરણા ઇત્યાદિ કાંઈ કરી શકતું નથી. શાસ્ત્રમાં જે કાંઈ અન્યનું કરવું, કરાવવું વગેરેનું કથન છે તે ઘીના ઘડા સમાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com