________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫૫) ત્રણ જાતિના કષાયોના અભાવપૂર્વક) ઉત્પન્ન (ભાવલિંગી મુનિપદને યોગ્ય) આત્માની શુદ્ધિ વિશેષને સકલ ચારિત્ર કહે છે. અને મુનિપદમાં ૨૮ મૂળ ગુણ આદિના શુભ ભાવ હોય છે તેને વ્યવહાર સકલ ચારિત્ર કહે છે.
| ( નિશ્ચયચારિત્ર આત્માશ્રિત હોવાથી મોક્ષમાર્ગ છે. ધર્મ છે અને વ્યવહારચારિત્ર પરાશ્રિત હોવાથી બંધમાર્ગ છે, ધર્મ નથી.) ૯૭ પ્ર. યથાખ્યાત ચારિત્ર કોને કહે છે?
ઉ. નિશ્ચયસમ્યગ્દર્શન સહિત ચારિત્ર ગુણની પૂર્ણ શુદ્ધતા થવાથી કષાયોના સર્વથા અભાવપૂર્વક ઉત્પન્ન આત્માની શુદ્ધ વિશેષને યથાખ્યાત ચારિત્ર કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com